બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સોનમ વાંગચુકે 26 દિવસ બાદ તોડ્યા ઉપવાસ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ અનશન સમાપ્ત!

નેશનલ / સોનમ વાંગચુકે 26 દિવસ બાદ તોડ્યા ઉપવાસ: કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ અનશન સમાપ્ત!

Published By: Pravin Joshi

Last Updated: 01:45 AM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને ડૉ.જિતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત બાદ 26 દિવસથી ચાલી રહેલું પોતાનું અનશન સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધું છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આ નિર્ણય લીધો હતો.

જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ના રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પોતાના અચોક્કસ મુદતના ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સોનમ વાંગચુક કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ગત 28 જૂનથી સતત અનશન પર બેઠા હતા.

સફદરજંગથી મેદાંતા હોસ્પિટલ શિફ્ટ કરાયા

અનશન દરમિયાન સોનમ વાંગચુકની તબિયત લથડતાં સૌપ્રથમ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ કોર્ટમાં અરજી કરીને વધુ સારી સારવાર માટે વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો કે વાંગચુકની વર્તમાન નાજુક આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબોની સતત દેખરેખ જરૂરી છે, જેના આધારે તેમને મેદાંતા શિફ્ટ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત

મેદાંતા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ દાખલ વાંગચુકને મળવા માટે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ પહોંચ્યા હતા. તેમની સાથે લેહ-લદ્દાખની 'એપેક્સ બોડી' ના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાંગચુકના મુદ્દાઓ અને માંગણીઓ પર લાંબી ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ

સોનમ વાંગચુકનું નિવેદન

ઉપવાસ તોડ્યા બાદ સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં લખ્યું કે, અત્યારે જ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ અને લેહ-લદ્દાખની 'એપેક્સ બોડી'ના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મેં 26 દિવસ પછી મારૂં અનશન સમાપ્ત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ દેશની વિવિધ રાજકીય પાર્ટીઓના 65 થી વધુ સાંસદોએ મને રૂબરૂ મળીને અથવા પત્ર લખીને ઉપવાસ છોડવા માટે વિનંતી કરી હતી. આ નિર્ણય વિવિધ શરતો પર લાંબી વાટાઘાટો અને દેશમાં સંભવિત હિંસા અટકાવવાની બાબતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હું ખૂબ જ ટૂંક સમયમાં એક અલગ વીડિયો દ્વારા આ શરતો વિશે વિગતવાર માહિતી આપીશ. તે દરમિયાન, હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થાય તે માટે અત્યંત સતર્ક રહો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

JitendraSingh JPNadda SonamWangchuk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ