ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી બેંક બદલી શકે FDના વ્યાજ દર! પૈસા જમા કરતા પહેલા આટલું જાણી લો
Last Updated: 09:49 AM, 29 August 2026
ADVERTISEMENT
જો તમે તમારી મહેનતની કમાણી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે. દેશની ઘણી મોટી બેંકો 1લી સપ્ટેમ્બરથી તેમના FD વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે.
ADVERTISEMENT
વ્યાજ દરોમાં થતો આ ફેરફાર તમને મળતા વળતર પર સીધી અસર કરશે. આવો સમજીએ કે, આ તમારા રોકાણને કેવી રીતે અસર કરે છે અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) શરૂ કરતા પહેલા તમારે કયા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.
વ્યાજ દરમાં ઘટાડા કે વધારાની શું થશે તમારી પર અસર?
ADVERTISEMENT
1 લી સપ્ટેમ્બરથી બેંકો દ્વારા વ્યાજદરોમાં કરવામાં આવતા ફેરફારો અંગે બે શક્યતાઓ છે. પ્રથમ, જો બેંકો વ્યાજદરો ઘટાડે, તો નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખોલતા ગ્રાહકોને અગાઉની સરખામણીમાં થોડું ઓછું રિર્ટન મળશે. બીજી તરફ જો વ્યાજદરો વધે, તો નવા રોકાણકારોને તેમની જમા રાશિ પર વધુ વ્યાજની આવકનો લાભ મળશે.

ADVERTISEMENT
જે લોકોએ પહેલેથી જ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) બુક કરાવી લીધી છે, તેમના માટે આ ફેરફાર વર્તમાન વ્યાજ દરને અસર કરશે નહીં. આ ફેરફાર માત્ર નવી FD અથવા હાલની FDના રિન્યુઅલ માટે જ લાગુ થશે.
FDમાં રોકાણ કરતા પહેલા આ ૩ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો.
ADVERTISEMENT
જો તમે 1લી સપ્ટેમ્બર કે તે પછી FD ખોલવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ વાતો ભૂલશો નહીં
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 31 ઓગસ્ટ પહેલા પતાવી દો IT રિટર્નને લગતા આ કામ, જાણો 10 નિયમ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
How to Make Oregano / ઘરે જ તૈયાર કરો પાસ્તા-પિઝામાં વપરાતો મોંઘો ઓરિગાનો, બજારથી ખરીદવાની નહીં હોય જરુર