બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં નોકરીમાં અનામત પર બબાલ, હિંસામાં 39 લોકોના મોત, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર
Last Updated: 01:30 PM, 19 July 2024
Bangladesh Protests : બાંગ્લાદેશ નોકરીઓમાં આરક્ષણ નાબૂદ કરવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે. વાસ્તવમાં હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે પોલીસ સાથેની અથડામણમાં 39 પ્રદર્શનકારીઓના મોત થયા છે. 2500થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. હાલમાં બાંગ્લાદેશમાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. હિંસા વધતી અટકાવવા માટે સરકારે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. શાળાઓ, કોલેજોની સાથે મદરેસાઓ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં સેનાને મોરચે તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારી ટેલિવિઝન ઓફિસ પર કરાયો હુમલો
મહત્વનું છે કે, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના તાજેતરમાં સરકારી રાષ્ટ્રીય ટેલિવિઝન પર દેખાયા અને રાષ્ટ્રને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ આ પછી પ્રદર્શનકારીઓ વધુ ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ સરકારી ટેલિવિઝનની ઓફિસ પર હુમલો કર્યો અને તેને સળગાવી દીધી. જે સમયે પ્રદર્શનકારીઓએ સરકારી ટેલિવિઝનની ઓફિસને આગ લગાવી હતી તે સમયે ત્યાં ઘણા પત્રકારો સાથે લગભગ 1200 કર્મચારીઓ હાજર હતા. પોલીસ-પ્રશાસને ઘણી જહેમત બાદ તેમને કોઈક રીતે બચાવી લીધા હતા.
ADVERTISEMENT
Bangladesh is on the boil.
— Palki Sharma (@palkisu) July 18, 2024
The anti-quota stir has intesified.
32 people have died.
Protesters have called for a nationwide shutdown, rejecting PM Sheikh Hasina's offer of talks.
To all those of you who've written to us from Bangladesh, we're covering the story. Stay safe. pic.twitter.com/UzllNhStLD
આંદોલનના કારણે બસ સેવા સંપૂર્ણપણે ઠપ
ADVERTISEMENT
આ તરફ આંદોલનકારીઓને રોકવા માટે તોફાન વિરોધી પોલીસ રબરની ગોળીઓ અને ટીયર ગેસના શેલ છોડી રહી છે જેના કારણે ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. ઢાકા અને દેશના બાકીના ભાગો વચ્ચેની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ઢાકાના ગાબટોલી અને સૈયદાબાદ બસ ટર્મિનલના બસ કાઉન્ટર પર હાજર કર્મચારીઓના જણાવ્યા અનુસાર બસ માલિકોએ તેમને રસ્તા પર કોઈ બસ ન ચલાવવા કહ્યું છે. ઢાકામાં કેનેડા યુનિવર્સિટીના કેમ્પસમાં પણ વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુનિવર્સિટીની છત પર 60 પોલીસકર્મીઓ ફસાયા હતા જેમને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
Contact Numbers :@ihcdhaka
— India in Bangladesh (@ihcdhaka) July 18, 2024
+880-1937400591 (also on WhatsApp)@ahcichittagong
+880-1814654797 / +880-1814654799 (also on WhatsApp)@IRajshahi
+880-1788148696 (also on WhatsApp)@ahcisylhet
+880-1313076411 (also on WhatsApp)@ahcikhulna
+880-1812817799 (also on WhatsApp)
ADVERTISEMENT
ભારતીય હાઈ કમિશને જાહેર કરી એડવાઇઝરી
ભારતીય હાઈ કમિશને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો, ભારતીય સમુદાયના સભ્યો અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો જરૂરી ન હોય તો તેમણે તેના ઘરની અંદર રહેવું જોઈએ. સહાયતા માટે હાઈ કમિશને 24 કલાક સેવા સાથે કેટલાક ઈમરજન્સી સંપર્ક નંબરો પણ જાહેર કર્યા છે.
ADVERTISEMENT

જાણો કેમ બાંગ્લાદેશ કેમ થઈ રહ્યું છે આંદોલન ?
ADVERTISEMENT
વાસ્તવમાં વર્તમાન આરક્ષણ વ્યવસ્થા હેઠળ 56 ટકા સરકારી નોકરીઓ અનામત છે. તેમાંથી 30 ટકા 1971ના મુક્તિ યુદ્ધના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, 10 ટકા મહિલાઓ માટે, પાંચ ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને એક ટકા અપંગ લોકો માટે અનામત છે. જોકે અહીં હવે સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી 30 ટકા અનામત વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ 3 હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે જેના માટે લગભગ 4 લાખ ઉમેદવારો અરજી કરે છે.
વધુ વાંચો : બ્રિટનમાં રમખાણો ફાટી નીકળ્યા! રસ્તાઓ પર આગચંપી અને હિંસા, જુઓ ભયાનક વીડિયો
આવો જાણીએ બાંગ્લાદેશમાં કેવી છે આરક્ષણ પ્રણાલી ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.