બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બેંગકોકના પબમાં ભીષણ આગનો કહેર, 27 લોકોના મોત, 63 ઘાયલ અને અનેક લોકો જીવતા દાઝ્યા

વિશ્વ / બેંગકોકના પબમાં ભીષણ આગનો કહેર, 27 લોકોના મોત, 63 ઘાયલ અને અનેક લોકો જીવતા દાઝ્યા

Nidhi Panchal

Last Updated: 07:06 AM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા એક પબમાં લાગેલી ભીષણ આગે ભારે જાનહાનિ સર્જી છે. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે જ્યારે 63 લોકો ઘાયલ થયા છે અને સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે જ્યારે 63 લોકો ઘાયલ થયા છે. બેંગકોકના ગવર્નરે જણાવ્યું હતું કે ઘાયલ થયેલા 63 લોકોમાંથી 22 લોકોની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના ઉત્તર ભાગમાં આવેલા એક મનોરંજન સ્થળમાં મધ્યરાત્રિની આસપાસ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ઘટનાસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો.

bangkok

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. થાઈલેન્ડના વડા પ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને અનેક ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

મધ્યરાત્રિના થોડા સમય પહેલા આગ લાગી હતી

સાક્ષીઓ અને બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિના થોડા સમય પહેલા આગ લાગી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પબના મુખ્ય પ્રવેશદ્વારમાંથી આગની જ્વાળાઓ બહાર નીકળતી જોવા મળી હતી, જ્યારે અંદર હાજર લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. અચાનક લાગેલી આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળ શોધવા માટે દોડધામ મચી ગઈ હતી.

બચાવ ટીમોએ એક વ્યક્તિને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બહાર કાઢ્યો

અહેવાલો અનુસાર ચતુચક જિલ્લામાં આવેલો રોંગ બીયર ના લાત ફ્રાઓ નામનો પબ થોડા જ સમયમાં સંપૂર્ણ આગની લપેટમાં આવી ગયો હતો. શરૂઆતમાં બચાવ ટીમોએ એક વ્યક્તિને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યારબાદ જાણવા મળ્યું કે અનેક લોકો હજુ પણ ઇમારતની અંદર ફસાયેલા હતા. અહેવાલો મુજબ આગથી બચવા માટે ઘણા લોકો પબના શૌચાલયમાં છુપાઈ ગયા હતા. જોકે, ધુમાડો અને આગ ઝડપથી ફેલાતા તેઓ બહાર આવી શક્યા નહોતા. મૃતકોમાં મોટાભાગના લોકોના મૃતદેહ શૌચાલયની અંદરથી મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

લગભગ 30 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી

ફાયર વિભાગની અનેક ટીમોએ લગભગ 30 મિનિટ સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ ઓલવાયા બાદ જાહેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં પબનો આંતરિક ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. અંદર રાખમાં ફેરવાયેલા ટેબલ, ખુરશીઓ અને અન્ય સામાન વચ્ચે બચાવ ટીમોએ લાંબા સમય સુધી શોધખોળ ચલાવી હતી જેથી કોઈ વ્યક્તિ અંદર ફસાયેલો ન રહે.

હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમો આગ લાગવાના કારણોની તપાસ કરી રહી છે. અધિકારીઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે આગ આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ અને પબમાં અગ્નિ સલામતીના પૂરતા સાધનો અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં. આ ઘટનાએ થાઇલેન્ડમાં મનોરંજન સ્થળોની અગ્નિ સલામતી વ્યવસ્થા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધ ભડક્યું! 140 ઠેકાણાં પર અમેરિકાનો હુમલો, ઈરાને 4 દેશોને બનાવ્યા નિશાન

ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડમાં અગાઉ પણ આવી અનેક દુર્ઘટનાઓ બની ચૂકી છે. વર્ષ 2022માં પૂર્વી થાઇલેન્ડમાં આવેલા એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે વર્ષ 2009માં બેંગકોકના સાંતિકા નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ઇન્ડોર ફટાકડાના કારણે લાગેલી ભીષણ આગમાં 66 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. બેંગકોકની આ નવી દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ અગ્નિ સલામતીના કડક નિયમોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bangkok News Thailand Fire Bangkok Pub Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ