બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્ર પૂર્વા ફાલ્ગુનીમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય!

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / શુક્ર પૂર્વા ફાલ્ગુનીમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓનું ખુલશે ભાગ્ય!

Last Updated: 07:59 AM, 13 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shukra Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિના કારક ગણાતા શુક્ર ગ્રહ આગામી 29 જુલાઈએ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે. શુક્ર પૂર્વા ફાલ્ગુનીમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે 11 ઓગસ્ટ સુધી વિશેષ રાજયોગ જેવી સ્થિતિ સર્જાશે.

1/5

photoStories-logo

1. શુક્ર ગ્રહના નક્ષત્ર પરિવર્તન

શુક્ર ગ્રહના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિ પર અલગ-અલગ પડે છે. 29 જુલાઈએ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે, જેના પ્રભાવથી 3 રાશિઓ પર પ્રેમ, કરિયર અને આર્થિક બાબતોમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. આ વખતે 29 જુલાઈએ સવારે 4 વાગ્યાને 56 મિનિટે શુક્ર પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સ્થિતિ 11 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ સમયગાળામાં 3 રાશિઓ માટે વિશેષ રૂપે રાજયોગ જેવા શુભ સંયોગો બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 3 રાશિ પર થશે સકારાત્મક અસર

આ પરિવર્તનને લીધે 3 ખાસ રાશિના જાતકોને વેપાર, નોકરી અને પ્રેમ સંબંધોમાં જબરદસ્ત સકારાત્મક પરિણામો મળી શકે છે.'શુક્ર ગ્રહ' પ્રેમ, સૌંદર્ય, કળા, સુખ-સુવિધા અને ઐશ્વર્યના કારક માનવામાં આવે છે. એવામાં જ્યારે પણ શુક્ર પોતાની ચાલ અથવા નક્ષત્ર બદલે છે, ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના સ્વામી પોતે શુક્ર છે. આવામાં આ નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. વેપાર કરનારાઓને નફાકારક સોદો મળવાની સંભાવના છે, જ્યારે નોકરિયાત લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. આર્થિક બાબતોમાં સુધારાના સંકેત છે અને લાંબા સમયથી ચાલી આવતી પરેશાનીઓ ઓછી થઈ શકે છે. પરિવારનો સહયોગ મળવાથી માનસિક સંતોષ પણ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સિંહ રાશિ

આ રાશિના જાતકો માટે આગામી સમય પ્રેમ અને કરિયર બંને બાબતોમાં સારો માનવામાં આવી રહ્યો છે. અપરિણિત લોકોના જીવનમાં નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે, જ્યારે પહેલાથી સંબંધમાં રહેલા લોકોના સંબંધો વધુ મજબૂત બની શકે છે. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. નોકરી કરનારાઓ માટે પ્રમોશન, પગાર વધારો અથવા નવી તકો મળવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રુચિ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મકર રાશિ

તમારા માટે આ ગોચર આર્થિક દૃષ્ટિકોણથી લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત બનવાની અને જૂના રોકાણથી સારો લાભ મળવાની સંભાવના છે. કરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. પ્રેમ સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને નિકટતા મજબૂત થશે. એકંદરે 11 ઓગસ્ટ સુધીનો સમય મકર રાશિના જાતકો માટે સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના સંકેત આપી શકે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shukra Gochar 2026 Purva to Uttara Phalguni Transit Venus Nakshatra Transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ