બહેરીને માનવીય આધાર પર જેલોમાં બંધ 250 ભારતીયોને માફી આપી દીધી છે અને તેઓને મુક્ત કરવામાં આવ્યાં છે. આ નિર્ણય એવાં સમયમાં કરવામાં આવ્યો કે જ્યારે પીએમ મોદીએ મધ્યપૂર્વનાં આ દ્રીપ દેશની ઓફિશીયલ રીતે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલ ટ્વિટ અનુસાર, 'દયા અને માનવીયતા દેખાડતા બહેરીન (Bahrain) સરકારે 250 ભારતીયોને માફ કરી દીધાં છે કે જે બહેરીનમાં સજા ભોગવી રહ્યાં હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) બેહરીન સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.'
Thank you Bahrain!
This visit sets the ground for even stronger bilateral cooperation between India and Bahrain. The discussions with top leaders, agreements inked and community interactions were truly memorable.
એક અન્ય ટ્વિટ અનુસાર, 'પ્રધાનમંત્રીએ વિશેષ કરીને બહેરીનનાં શાહ અને પૂરા શાહી પરિવારનો આ દયાપૂર્ણ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે.' પીએમ મોદી ફ્રાન્સ અને યૂએઇ બાદ શનિવારનાં રોજ બહેરીન પહોંચ્યાં કે જ્યાં તેઓને 'ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ ધ રેનેસાં'થી સન્માનિત કરવામાં આવ્યાં. તેઓએ બહેરીનનાં શાહ હમાદ બિન ઇસા અલ ખલીફાની સાથે વિભિન્ન દ્રિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ વાતચીત કરી.
In a kind and humanitarian gesture, the Government of Bahrain has pardoned 250 Indians serving sentences in Bahrain.
PM @narendramodi thanks the Bahrain Government for the Royal Pardon.
બહેરીનની યાત્રા કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી મોદી અને શહઝાદા ખલીફાની હાજરીમાં સંસ્કૃતિ, અંતરિક્ષ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ)નાં ક્ષેત્રોમાં સહમતિ-પત્રો (એમઓયૂ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં.
તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીએ બહેરીનની રાજધાની મનામામાં ભગવાન શ્રીકૃષ્ણનાં 200 વર્ષ જૂના મંદિરનાં પુનર્નિમાણ માટે 42 લાખ ડૉલરની પરિયોજનાનું પણ રવિવારનાં રોજ શુભારંભ કર્યું. મનામામાં શ્રીનાથજી (શ્રી કૃષ્ણ) મંદિરનું પુનર્નિમાણ કાર્ય આ વર્ષે આરંભ કરવામાં આવશે.