બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સાંજના સમયે સાવરણી સાથે આવી ભૂલો ટાળો, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે ક્રોધિત!

ધર્મ / સાંજના સમયે સાવરણી સાથે આવી ભૂલો ટાળો, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે ક્રોધિત!

Nirav Kumar

Last Updated: 11:52 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લઇ અનેક નિયમ જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવામાં ન આવે તો લક્ષ્મી માતા નારાજ થઇ શકે છે અને મોટું આર્થિક નુકશાન પણ થઇ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વચ્છતા એ માત્ર સ્વચ્છતાનું પ્રતીક નથી પરંતુ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો પણ પાયો છે. ગંદકી, અવ્યવસ્થા કે તૂટેલી વસ્તુઓવાળું ઘર નકારાત્મક ઉર્જા લાવે છે. અને લક્ષ્મી માતા પણ ત્યાં વાસ કરતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની સ્વચ્છતા સીધી સાવરણી સાથે જોડાયેલી છે. કેમ કે તેને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી માત્ર ધૂળ અને કચરો જ દૂર કરતી નથી પરંતુ નકારાત્મક ઉર્જા અને ગરીબી પણ દૂર કરે છે. આથી સાવરણી પર ક્યારેય પગ ન મૂકવો જોઈએ, ન તો તેને ખુલ્લામાં કે ઘરમાં કોઈ અપ્રિય જગ્યાએ મૂકવી જોઈએ. સાવરણીને લઇ  સાંજે સંબંધિત પણ નિયમો છે ચાલો તે વિષે જાણીએ.

  • સાંજે ઘર કે આંગણું સાફ કરવું
     વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે ઘર કે આંગણું સાફ કરવું અશુભ મનાય છે. આ સમયે ઝાડુ મારવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા અને લક્ષ્મી માતાની કૃપા દૂર થાય છે. આથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માટે સૂર્યાસ્ત બાદ ઝાડુ મારવાનું ટાળવું જોઈએ.
vtv app promotion
  • ગંદા સ્થળ
    સાવરણીને ક્યારેય કચરાપેટી કે ઘરમાં કોઈ ગંદા સ્થળ પાસે ન રાખો કેમ કે તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. સાવરણીને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે આથી તેને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવું શુભ મનાય છે, ખાસ કરીને ઘરની દક્ષિણ-પશ્ચિમ કે પશ્ચિમ દિશામાં રાખવાને. તેનાથી ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે.
  • આડી રાખવી
    સાવરણીને હંમેશા જમીન પર આડી રાખવી જોઈએ, તેને ક્યારેય ઉભી ન રાખવી જોઈએ. આ સિવાય કોઈને સાવરણી પર પગ ન મૂકવા દો. કેમ કે, તેને અશુભ શુકન માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની લક્ષ્મી માતાનું અપમાન થાય છે અને આર્થિક નુકસાન થવાની શક્યતા વધી જાય છે.

વધુ વાંચો : ધર્મેન્દ્રના મૃત્યુ સમયે ચાલી રહ્યું હતું પંચક, જાણો આ અશુભ કાળ શું હોય છે અને પરિવાર શા માટે ડરે છે?

  • ઘસાઈ ગયેલી સાવરણી
    ઘરમાં તૂટેલી કે ઘસાઈ ગયેલી સાવરણી રાખવાને પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી માત્ર વાસ્તુ દોષ જ નહીં પણ લક્ષ્મી માતાનું પણ અપમાન થાય છે. તૂટેલી સાવરણી ઘરની સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને ધીમે ધીમે આર્થિક નુકસાન થઇ શકે છે.

(DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદાર vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Broom Lakshmi
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ