ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:01 AM, 10 October 2025
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં કરવા ચોથ સ્ત્રીના સૌભાગ્ય અને પતિની દીર્ઘાયુ માટે રાખવામાં આવતો એક પવિત્ર ઉપવાસ છે. આ વર્ષે કરવાનું વ્રત 10 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ચાલતા આ ઉપવાસમાં મહિલાઓ દિવસભર નિરાહાર રહે છે અને રાત્રે ચાંદને અર્પણ કરીને પોતાના પતિનો ચહેરો જોઈ ઉપવાસ ખોલે છે. આથી જ દરેક સ્ત્રી માટે જાણવું અગત્યનું છે કે તેમના શહેરમાં ચાંદ ક્યારે દેખાશે, જેથી સમયસર પૂજન અને આરતી કરી શકે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાસ્તુશાસ્ત્ર મૂજબ આ દિશામાં રાખો તિજોરી, તમારા ઘરમાં ક્યારેય નહીં ખૂટે રૂપિયા!
ADVERTISEMENT
કરવો ચોથનું વ્રત માત્ર ધાર્મિક રીતે નહીં, પરંતુ પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. સ્ત્રીઓ સોળ શૃંગાર કરી દિવસભર ઉપવાસ રાખે છે અને રાત્રે ચાંદને અર્પણ કરી પતિની લાંબી આયુષ્યની પ્રાર્થના કરે છે. આ દિવસે ચાંદને જોતા-જોતાં મહિલાઓ પતિની આરતી ઉતારે છે અને પછી જ પાણી પીને વ્રત ખોલે છે. આ વર્ષે આ શુભ દિવસ ગુરુવારે આવી રહ્યો છે. એટલે કે સુખ, સમૃદ્ધિ અને સદભાગ્યના સંયોગો વધુ શક્તિશાળી ગણાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો