જ્યોતિષ શાસ્ત્રમાં તમામ વારોમાં મંગળવારને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યોતિષમાં મંગળ મંગળવારનો કારક ગ્રહ છે. જ્યોતિષમાં આ દિવસે અમુક કામ કરવાની મનાઇ કરાઇ છે.
જે વ્યક્તિ મંગળવારે આ કામ કરે છે, તેમને ધન હાનિ અને તેમના સ્વાસ્થ્યમાં સતત ઘટાડો થાય છે. અહીં જાણીએ મંગળવારના દિવસે કયા-કયા કામ કરવાથી બચવુ જોઇએ.
મંગળવારના દિવસે નખ ક્યારેય ન કાપવા જોઇએ. એવું કરવાથી અપશુકન થાય છે. આ દિવસે નખ કાપવાથી વ્યક્તિના ઉપર મંગળ દોષ વધે છે.
મંગળવારના દિવસે ન તો દેવુ લેવું જોઇએ અને ન કોઇને દેવુ આપવું જોઇએ. જ્યોતિષ અનુસાર એમ કરવાથી ધનની હાનિ થાય છે.
જો તમે હનુમાનજીના ભક્ત છો તો મંગળવારના દિવસે ભૂલીને પણ માંસાહાર અને મદિરાનું સેવન ન કરવું જોઇએ. જે ભક્ત મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કરે છે તેની બાધાઓ દૂર થઇ જાય છે.