જો તમે પણ સતત રૂપિયાની તંગીથી પરેશાન રહો છો તો તમે લોટનો આ ખાસ ઉપાય કરી શકો છો. તેનાથી માતા લક્ષ્મીની મહેરબાની બની રહેશે.
રૂપિયાની તંગીથી બચવા માટે કરી લો આ ઘરેલૂ અને સરળ ઉપાય
માતા લક્ષ્મીના બની રહેશે આર્શિવાદ
જાણો કેવી રીતે કરશો આ સરળ ઉપાય
રૂપિયા અને તરક્કી દરેક વ્યક્તિને પસંદ હોય છે.પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના હાથમાં રૂપિયા ટકતા નથી. રૂપિયા આવે તો છે પણ તે ઝડપથી ખર્ચ થઈ જાય છે. એવી સ્થિતિમાં રૂપિયાના કારણે ઘરમાં લડાઈ ઝઘડા થતા રહે છે. માણસની સુખ શાંતિ ગાયબ થઈ જાય છે. જ્યોતિષમાં આ માટે કેટલાક ખાસ ઉપાયો જણાવાયા છે જે તમને રાહત અપાવી શકે છે.
કરી લો આ ખાસ અને ચમત્કારિક ઉપાય
ઘરના જે ડબ્બામાં લોટ રાખો છો તેમાં તુલસીના 5 પાન અને 2 કેસરના દાણા રાખો. આમ કરવાથી જલ્દી સારા પરિણામ મળવાના શરૂ થશે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે લોટમાં થોડી હળદર મિક્સ કરો અને ગાયને ખવડાવો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ધનનો વધારો થાય છે.
આ સિવાય શનિવારે ઘઉં દળાવવાથી ઘરમાં આવક વધે છે અને આર્થિક તંગી ઘટે છે. આ સિવાય સંબંધો પણ સારી રીતે જળવાઈ રહે છે. ઘઉં દળાવતી સમયે તેમાં થોડા ચણા મિક્સ કરી લો. ઘરમાં રૂપિયા ટકી રહેશે.
શાસ્ત્રમા કહેવાયું છે કે સૌભાગ્યની પ્રાપ્તિ માટે લોટમાં થોડી ખાંડ મિક્સ કરીને કીડીને ખવડાવો. આમ કરવાથી પણ ધન સંબંધી સમસ્યા કાયમ માટે દૂર થશે અને ભાગ્યનો સાથ મળશે. શનિ, રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી રાહત મળશે.