બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડવાને લઈને પોતાની વાત રાખી છે. તેઓએ ટ્વિટ કરીને નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે તેઓ સુરક્ષાબળના કહ્યા બાદ જ કાબુલ છોડીને ગયા હતા.
Statement 8 September 2021 pic.twitter.com/5yKXWIdLfM
— Ashraf Ghani (@ashrafghani) September 8, 2021
ADVERTISEMENT
ગનીએ શું કહ્યું
તેઓએ કહ્યું કે જો તેઓ કાબુલ ન છોડતા તો ફરીથી એકવાર 1990 જેવી સ્થિતિ સર્જાતી. ગનીએ કહ્યું કે તેમના માટે કાબુલ છોડવું સૌથી મુશ્કેલ નિર્ણય હતો. પણ તેમનું માનવું છે કે લાખો લોકોને બચાવવા માટે આ એકમાત્ર રીત હતી.
ADVERTISEMENT
લોકતંત્ર માટે કરતા હતા કામ
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે તેઓ 20 વર્ષથી વધારે સમયથી અફઘાનિસ્તાનના લોકતંત્ર માટે કામ કરી રહ્યા હતા. તેઓ ક્યારેય કાબુલ છોડવા ઈચ્છતા ન હતા. આ સમયે તેમના અફઘાનિસ્તાનના છોડવાનો નિર્ણય યોગ્ય ન હતો.

ADVERTISEMENT
ભ્રષ્ટાચાર સામે લડવું એ મુખ્ય હેતુ હતો
અશરફ ગનીના અનુસાર તેમને નિરાધાર આરોપોનો જવાબ આપવાનો છે. તેમની પર આરોપ લગાવાયા છે કે તે કાબુલથી નીકળતી સમયે સામાન્ય લોકોના રૂપિયા લઈ ગયા. આ આરોપો સદંતર ખોટા છે. એક રાષ્ટ્રપતિના રીતે ભ્રષ્ટાચાર સામે લડવું તેમનો મુખ્ય હેતુ રહ્યો છે. તેઓએ તેમની અને તેમની પત્નીની તમામ સંપત્તિને સાર્વજનિક જાહેર કરી છે. તે પોતાના નિવેદનને માટે યૂનાઈટેડ નેશન્સ કે કોઈ અન્ય સ્વતંત્ર નિકાયના આઘારે અધિકારિક ઓડિટ કે તપાસનું સ્વાગત કરે છે.
બલિદાનને માટે સમ્માન પ્રકટ કર્યું
ગનીનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે એક લોકતાંત્રિક અફઘાનિસ્તાન એકમાત્ર રસ્તો છે. આ દેશને આગળ વધવાનો રસ્તો છે. તેઓએ કહ્યું કે છેલ્લા 40 વર્ષોથી લડી રહેલા અફઘાન સેનિકો અને તેમના પરિવારના બલિદાનને પ્રતિ સમ્માન પ્રકટ કરે છે. તેમે અફસોસ છે કે તેમનો અધ્યાય ત્રાસદીમાં ખતમ થયો. ગનીનું કહેવું છે કે તેઓ અફઘાનિસ્તાનના લોકોની માફી માંગે છે.. તે તેનાથી સારી રીતે ખતમ કરી શકવા સક્ષમ ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.