બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા વિરૂદ્ધ લખ્યો પત્ર, મૂક્યો પક્ષ વિરોધી પ્રવૃતિ આચર્યાનો ગંભીર આક્ષેપ
Last Updated: 07:38 PM, 10 May 2024
લોકસભા ચૂંટણીનું મતદાન તો થઈ ગયું છે, પરંતુ મતદાન પૂરા થયા પછી ભાજપના નેતાઓમાં અંદરો અંદર ભરોયેલો રોષ હવે એક બાદ એક નેતા બહાર નીકાળી રહ્યાં છે. ત્યારે વધુ એક ભાજપ નેતાનો ઉકળાટ બહાર આવ્યો છે. ભાજપ નેતા જવાહર ચાવડા સામે માણાવદરથી ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પત્ર લખ્યો છે.
ADVERTISEMENT
જવાહર ચાવડા સામે લાડાણીનો આરોપ
ADVERTISEMENT
અરવિંદ લાડાણીએ પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં જવાહર ચાવડા સામે પક્ષ વિરોધી પ્રવૃતિ કર્યાનો આક્ષેપ કર્યો છે. અરવિંદ લાડાણીએ કહ્યું કે 4 મેના રોજ મળેલી એક બેઠકમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે ચર્ચા થઇ હતી. પક્ષ વિરોધી પ્રવૃતિના આરોપ બાદ હવે જૂનાગઢ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં પણ આગના તણખા જેવું રાજકારણ ગરમ થયું છે.
વાંચવા જેવું: ચૂંટણી બાદ અમરેલીમાં બદલાયા ભાજપ નેતાઓના સૂર, હવે ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા
પત્રમાં શું લખ્યું?
પત્રમાં આક્ષેપ કરાયો છે કે, જવાહર ચાવડાના પુત્રએ 700થી 800 કર્મચારીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી. 6 મે 2024એ કેબિનેટ મંત્રીએ નુતન જીનીંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જવાહર ચાવડના દીકરા રાજ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન જાહેર કર્યું હતું. મતદાનના દિવસે જવાહર ચાવડાએ માણાવદર-વંથલી અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા હાંકલ કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT