બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arjun Modhwadia accuses the government of the corruption going on in the revenue department
Vishal Khamar
Last Updated: 04:57 PM, 16 February 2024
ADVERTISEMENT
વિધાનસભામાં રેવન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટ્રાચારને લઈ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આરોપ લગાવ્યા હતા કે, સૌથી વધુ ભ્રષ્ટ્રાચાર રેવન્યુ વિભાગમાં થાય છે. રાજ્ય સરકાર મોટા ઉદ્યોગોને જમીન આપે છે. તેમજ નાના માણસને 100 વારનો પ્લોટ પણ મળતો નથી. સુરતના ઓલપાડમાં તળાવમાં ગેરકાયદે દબાણ છે. ત્યારે અહેવાલ બાદ કાર્યવાહી કરવાને બદલે સરકાર આરોપીઓને છાવરી રહી છે.
વધુ વાંચોઃ જૂનાગઢ તોડકાંડ કેસને લઇ ATS એક્શનમાં, જાણો તપાસનો રિપોર્ટ કોણે સોંપાયો
ADVERTISEMENT
1805 તળાવમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાયદેસર દબાણઃ અર્જુન મોઢવાડિયા
તેમજ ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે તેના પર અધિકાર હોવો જોઈએ. પરંતું રાજ્ય સરકાર ઉદ્યોગગૃહોને જમીન આપે છે. 104 કરોડ ચો. મીટર જમીન છેલ્લા બે વર્ષમાં મોટા ઉદ્યોગપતિઓને આપી છે. નાન ઝૂંપડા તોડવામાં આવે છે. અને ઉદ્યોગપતિઓને સાચવે છે. સુરત જીલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં જે જીંગાનાં તળાવો આવેલા છે. જે મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જે પીટીશન થઈ હતી. જે સંદર્ભે કલેક્ટરને ડીઆઈએલઆર ડ્રીસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે તે પ્રમાણે ઓલપાડ તાલુકાના 14 ગામોની અંદર 1805 તળાવમાં 1343.90 હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાયદેસર દબાણ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT