Anti-India graffiti on Swaminarayan temple: દુનિયાભરમાં પ્રેમ-ભક્તિ અને શાંતિની ભાવના ફેલાવતા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર પર કેનેડાના ઉગ્ર તત્વોએ કર્યું ભારત વિરોધી કૃત્ય
કેનેડાના સ્વામિનારાયણ મંદિર પર અસામાજિક તત્વોનું કૃત્ય
મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ લખાયું
સમગ્ર મામલે હિન્દુઓમાં ભારે રોષની લાગણી
ભારતે પણ સત્તાવાર રીતે સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ કરી
શું છે સમગ્ર ઘટના?
કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠાને કેટલાક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. મંગળવારે ટોરન્ટોમાં આવેલા આ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યા જે બાદ સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. ( graffiti on walls of Toronto's BAPS Swaminarayan Mandir ) સમગ્ર મામલે કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી હતી ત્યારે આ મામલે ભારતે પણ સત્તાવાર રીતે પોતાની વાંધો ઉઠાવ્યો છે અને કેનેડાની સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય હાઈકમિશને મામલા પર ટ્વિટ કર્યું
કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સમગ્ર મામલો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Saddened to see the vandalism on @baps_toronto Mandir in Toronto. All Canadians should be able to practice their faith without intimidation or fear. I look forward to visiting my friends at this Mandir again soon. pic.twitter.com/hndyCCkKxD
વીડિયો થઈ રહ્યા છે વાયરલ
નોંધનીય છે કે કેનેડામાં Brampton South ના સાંસદ સોનિયા સીધુએ સૌથી પહેલા આ મુદ્દે ખૂલીને અવાજ ઉઠાવ્યો હતો અને ટ્વિટ કરીને કહ્યું હતું કે આપણે એક બહુ-સાંસ્કૃતિક અને વિવિધ સંપ્રદાયને માનતા સમાજની વચ્ચે સુરક્ષાની સાથે રહીએ છીએ, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
The vandalism that took place at @baps_toronto Mandhir in Toronto is very disappointing. These acts of hate have no place in Canada and I hope those responsible are quickly brought to justice.
નોંધનીય છે કે સમગ્ર મામલે હાલ તો સોશ્યલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં ભીંત પર ખાલિસ્તાની લખાણ લખવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
I am distraught by the act of vandalism that has taken place at the #BAPS Swaminarayan Mandir in Toronto.
We live in a multicultural and multi-faith community where everyone deserves to feel safe. Those responsible should be located to face the consequences of their actions.
શું કરી રહ્યું છે તંત્ર?
Brampton ના મેયરે પણ સમગ્ર ઘટના સામે નિંદા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રકારની નફરતને કેનેડામાં કોઈ સ્થાન જ નથી, આશા રાખીએ વહેલા વહેલી તકે ન્યાય કરવામાં આવશે.
Vandalism of Toronto BAPS Shri Swaminarayan Mandir by Canadian Khalistani extremists should be condemned by all
This is not just an isolated event. Canadian Hindu temples have been targeted in the recent past by these kinds of hate crime
Hindu Canadians are legitimately concerned
'આ પહેલીવાર નથી'
મૂળ ભારતીય કેનેડાના વધુ એક સાંસદ ચંદ્રા આર્યાએ તો ત્યાં સુધી કહ્યું કે આ તો કોઈ પહેલીવારની ઘટના નથી, ભૂતકાળમાં વારંવાર હિન્દુ મંદિરોને નિશાને લેવામાં આવી રહ્યા છે, તેમણે કહ્યું કે સ્વામિનારાયણ મંદિર પર કેનેડાના ખાલિસ્તાનીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની સૌ કોઈએ નિંદા કરવી જોઈએ. આ પહેલીવાર નથી કે હિન્દુ મંદિરને નિશાને લેવામાં આવ્યા હોય, આ પહેલા પણ મંદિરો સામે હેટ ક્રાઇમ કરવામાં આવ્યા છે.