બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા મૌલવીના કેસમાં નીકળ્યું ISIS કનેક્શન, એજન્સીઓ દોડતી થઇ ગઇ
Last Updated: 12:50 PM, 25 May 2024
રાજસ્થાનનાં બિકાનેરમાંથી અબુબકરની ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અબુબકરની પૂછપરછ કરતા તેનાં તાર ISIS સુધી જોડાયા હોવાની શક્યતા છે. તેમજ આ તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. અબુબકર હનીટ્રેપનો શિકાર બન્યો હતો કે પછી અન્ય કોઈ લાલચ આપવામાં આવી હતી. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય કોઈ યુવાનો પણ હનીટ્રેપનો શિકાર બન્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.
ADVERTISEMENT
અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.
ADVERTISEMENT
આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.