મહારાષ્ટ્રના સોલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફરી એક વખત કલમ 370 ને લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો.
અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને NCPના નેતા શરદ પવાર મહારાષ્ટ્રની જનતાને સ્પષ્ટ કરે કે, કલમ 370 અને 35 A ને હટાવવા પર સમર્થન કેમ નથી કરતા? શું કોંગ્રેસ અને NCP ઇચ્છે છે કે, ભારતમાં પાકિસ્તાની આંતકવાદીઓના તાંડવ ચાલતા રહે?
श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में अनुच्छेद 370 को हमेशा के लिए हटा दिया गया है।
અમિત શાહે કહ્યુ કે, ''નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કલમ 370 ને હંમેશા માટે હટાવી દેવામાં આવી છે. હવે જમ્મૂ-કાશ્મીર હમેશા માટે દેશનો એક અભિન્ન અંગ છે. કાશ્મીરના વિકાસ માટે મોદીજીએ તમામ દરવાજા ખોલી દીધા છે. એકતા અને અખંડતાને લોખંડની જેમ મજબૂત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની તમામ કારતૂતો પર પાણી ફેરવી દીધુ અને આતંકવાદીઓને કહી દીધુ કે, હવે ત્યાં જ રહો આ તરફ આવવાની જરૂર નથી.''
मैं कांग्रेस और एनसीपी से कहना चाहता हूं कि महाराष्ट्र की जनता को स्पष्ट करें कि आप अनुच्छेद 370 और 35A के हटने का समर्थन करते हैं या नहीं?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, ''જમ્મૂ-કાશ્મીર પર રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ પાકિસ્તાન સંસદ કરે છે. જે રાહુલ ગાંધી બોલે છે તે જ પાકિસ્તાન બોલે છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, આ પ્રકારની વાતનો કરવાનો કારણ શું છે.''
કોંગ્રેસ અને NCP ના નેતાઓ ભાજપમાં શામેલ થવા પર અમિત શાહે કહ્યુ કે, ''જો ભાજપના દરવાજા સંપૂર્ણ રીતે ખોલી દેવામાં આવશે તો NCP અને કોંગ્રેસમાં શરદ પવાર અને પૃથ્વારાજ ચૌહાણ સિવાય કોઇ નહી રહે.'' અમિત શાહે આગળ કહ્યુ કે, કોંગ્રેસ અને NCP લોકતંત્રમાં માનતી નથી, આ બંને પરિવારવાદમાં માને છે. કોંગ્રેસ પાર્ટી અને NCP નું નેતૃત્વ જોઇ લો, પરિવાર જ છે.''