બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ
દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ
રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ
રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર
vtvAdmin
Last Updated: 04:15 PM, 31 May 2019
ADVERTISEMENT
અમેરિકાના વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે કહ્યું કે, સાચા અર્થમાં આ એક ખુબ જ સારું જોડાણ છે. અમારા નેતાના દ્રષ્ટિકોણથી લાભ પ્રાપ્ત કરવા માટે એક વ્યવસ્થાગત ઢાંચો છો.
આ મામલે મારું અનુમાન છે કે, બંન્ને રાષ્ટ્રો વચ્ચે ખુબ જ સકારાત્મક સંબંધો નવી ઊંચાઇ સુધી પહોંચવા જઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અમરીકન રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીઓના નિવેદન, ટ્વીટ અને ફોન કોલ્સથી આ એકદમ સ્પષ્ટ થાય છે કે, અમેરિકા વડાપ્રધાન મોદીની બીજી સરકાર તેમની સાથે મળીને કામ કરવાની રાહ જોઇ રહ્યા છીએ.
ADVERTISEMENT
મંત્રીમંડળની રચના
ઉલ્લેખનીય છે કે, અંતે તમામ મંત્રીઓને તેમના વિભાગોની વહેંચણી કરી દેવાઇ છે અને અમિત શાહને અમિત શાહને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે નિર્મલા સીતારમણને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રક્ષા મંત્રાલય સંભાળશે. પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે નિતિન ગડકરીને માર્ગ પરિવહન, રાજમાર્ગ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે સ્મૃતિ ઇરાનીને કાપડ મંત્રાલય ઉપરાંત મહિલા અને બાળ વિકાસનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો નરેન્દ્ર સિંહ તોમર કૃષિ મંત્રી બન્યા છે. હર્ષવર્ધન સ્વાસ્થ્ય મંત્રી અને પીયૂષ ગોયલ રેલ મંત્રી બનાવાયા છે.
તો પ્રકાશ જાવડે કરને સૂચના પ્રસારણ મંત્રાલય અને રવિશંકર પ્રસાદને કાયદા મંત્રાલય સોંપાયું છે. અને રમેશ પોખરિયાલને HRD મંત્રાલય આપ્યું છે. જ્યારે સદાનંદ ગૌડાને કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય સોંપાયું છે અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ફરી એકવાર ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યું છે.
જ્યારે રામ વિલાસ પાસવાનને જાહેર વિતરણ વ્યવસ્થા મંત્રાલય અને મુખ્તાર અબ્બાસ નકવીને લઘુમતી બાબતોનું મંત્રાલય અપાયું છે. જ્યારે હરસિમરત કૌરને ફૂડ-પ્રોસેસિંગ અને ગીરીરાજસિંહને પશુપાલન અને મત્સ્ય મંત્રાલય સોંપાયું છે.
જ્યારે આદિવાસી મામલાઓનું મંત્રાલય અર્જૂન મુંડાને મળ્યું છે. અને પ્રહલાજ જોશીને કોલસા અને ખાણ મંત્રાલય મળ્યું છે. જ્યારે મહેન્દ્રનાથ પાંડેયને કૌશલ્ય વિકાસ મંત્રાલય અને ગજેન્દ્રસિંહ શેખાવતને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.