બ્રેકિંગ ન્યુઝ
VTV / all beneficiaries od pm kisan nidhi will get kisan credit card
Last Updated: 02:39 PM, 28 April 2022
ADVERTISEMENT
પીએમ કિસાન સમ્માન નિધિનાં બધા 12.50 કરોડ લાભાર્થીઓને સરકાર તરફથી વધારે એક ફાયદો મળવા જઈ રહ્યો છે. પીએમ કિસાન નિધિનાં લાભાર્થીઓ 11માં ઇન્સ્ટોલમેન્ટની પણ રાહ જોઈ રહ્યા છે. આ ઇન્સ્ટોલમેન્ટ તેમને એપ્રિલથી જુલાઈ વચ્ચે આપવામાં આવશે. સરકાર તરફથી આઝાદીનાં અમૃત મહોત્સવનાં અવસર પર 'કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી' કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
વિશેષ ગ્રામ સભાઓનું થઇ રહ્યું છે આયોજન
'કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી' તોજના હેઠળ પીએમ કિસાન નિધિનાં બધા લાભાર્થીઓને 'કિસાન ક્રેડિટ કાર્ડ'ની સુવિધા આપવામાં આવશે. આ માટે 1 મે સુધી વિશેષ ગ્રામ સભાઓનું આયોજન કરી કિસાન ક્રેડિટ કાર્ડથી વંચિત ખેડૂતોનાં આવેદન તૈયાર કરી સંબંધિત બેન્ક શાખાઓને મોકલવામાં આવી રહ્યા છે.
ઘોષણાપત્ર આપવું જરૂરી
સરકાર તરફથી જાહેર આદેશ અનુસાર, જો પીએમ કિસાન નિધિનાં કોઈ લાભાર્થી પાસે 'કિસાન ક્રેડિટ કાર્ડ' નથી, તો તેઓ બેન્કનો સંપર્ક કરીને અરજી કરી શકે છે. આ માટે તેમણે અમુક ડોક્યુમેન્ટ સાથે ઘોષણાપત્ર પણ આપવું પડશે.
ADVERTISEMENT
અરજી માટે શું શું આપવું પડશે
એક પાનાનાં સરળ અરજી પત્રમાં જમીન સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ, પાકનું વિવરણ અને ઘોષણાપત્ર કે લાભાર્થીને કોઈપણ બેન્ક તરફથી 'કિસાન ક્રેડિટ કાર્ડ'ની સુવિધા નથી મળી રહી. સરકારની આ યોજનાનો ઉદ્દેશ્ય બધા ખેડૂતોને ક્રેડિટ કાર્ડનો લાભ આપવાનો છે.
જણાવી દઈએ કે પીએમ કિસાન નિધિનાં દરેક લાભાર્થીનું ઈ કેવાયસી હોવું જરૂરી છે. આ માટે સરકાર તરફથી મોબાઈલ અને લેપટોપથી પણ e-KYCની સુવિધા શરુ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.