બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નને લઇને રૂમર્સ ફેલાઇ રહ્યા છે. કેટલાક સમય પહેલા સમાચાર મળ્યા હતા કે આલિયા ભટ્ટે પોતાના લગ્નનો લહેંગાનો ઓર્ડર પણ કર્યો છે. ત્યારે હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કંકોત્રી પણ છપાઇ ચુકી છે. અને બોલીવુડના આ કપલના લગ્ન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવા જઇ રહ્યા છે.
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ના લગ્નને લઇને રૂમર્સ
બોલીવુડના આ કપલના લગ્ન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ
લગ્નની કંકોત્રી પર આલિયા ભટ્ટે આપ્યા ઇન્ટરેસ્ટિંગ રિએક્શન, Video Viral
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યી છે. હકીકતમાં આ તેમના ફેન્સના કારસ્તાન છે. ફેન્સે તો લગ્નની કંકોત્રીમાં આલિયા અને રણબીરના લગ્નના લોકેશન સુધીની વાત બતાવી નાંખી. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલી કંકોત્રી મુજબ, આલિયા અને રણબીરના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં (Umaid Bhawan Palace) કરવામાં આવશે.
જ્યારે આલિયાને પોતાના અને રણબીરના લગ્નની કંકોત્રી વિશે જાણ થઇ ત્યારે તેણે રિએક્શન ઇન્ટરેસ્ટિંગ આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આલિયા ભટ્ટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસ હંસવા લાગી અને તેણે કહ્યું, 'શું બતાઉ?' એક્ટ્રેસનું રિએક્શન જોઇ ત્યાં હાજર ફોટોગ્રાફર હસી પડ્યા હતા.
નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા કોઇ ફેને આલિયા અને રણબીરના લગ્નની એક ફોટો શેયર કરી હતી. જેમા આલિયા, રણબીરના ગળામાં વરમાળા નાંખતી નજરે પડી હતી. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે, ફેન્સને પણ બંનેના લગ્નને લઇને કેટલી ઉત્સુકતા છે.