બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / alia bhatt and ranbir kapoor marriage card viral on social media actress reacted
ADVERTISEMENT
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યી છે. હકીકતમાં આ તેમના ફેન્સના કારસ્તાન છે. ફેન્સે તો લગ્નની કંકોત્રીમાં આલિયા અને રણબીરના લગ્નના લોકેશન સુધીની વાત બતાવી નાંખી. ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહેલી કંકોત્રી મુજબ, આલિયા અને રણબીરના લગ્ન જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં (Umaid Bhawan Palace) કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે આલિયાને પોતાના અને રણબીરના લગ્નની કંકોત્રી વિશે જાણ થઇ ત્યારે તેણે રિએક્શન ઇન્ટરેસ્ટિંગ આપ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આલિયા ભટ્ટને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો એક્ટ્રેસ હંસવા લાગી અને તેણે કહ્યું, 'શું બતાઉ?' એક્ટ્રેસનું રિએક્શન જોઇ ત્યાં હાજર ફોટોગ્રાફર હસી પડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોંધનીય છે કે કેટલાક દિવસો પહેલા કોઇ ફેને આલિયા અને રણબીરના લગ્નની એક ફોટો શેયર કરી હતી. જેમા આલિયા, રણબીરના ગળામાં વરમાળા નાંખતી નજરે પડી હતી. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે, ફેન્સને પણ બંનેના લગ્નને લઇને કેટલી ઉત્સુકતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.