બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar Birthday: Akshay performed Mahakal's Bhasma Aarti, Shikhar Dhawan also received blessings.

મહાકાલના શરણે / Akshay Kumar Birthday: જન્મદિન પર અક્ષય કુમારે કર્યા મહાકાલની ભસ્મ આરતીના દર્શન, શિખર ધવને પણ લીધા આશીર્વાદ

Megha

Last Updated: 11:47 AM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar Birthday : જન્મદિવસના ખાસ અવસર પર અક્ષય કુમાર પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. એમનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

  • અક્ષય કુમાર આજે એમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે 
  • અક્ષય કુમારે નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું
  • ભારતીય ટીમના ક્રિકેટર શિખર ધવન પણ મહાકાલેશ્વર મંદિર પંહોચ્યાં હતા 

Akshay Kumar Birthday : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર 9 સપ્ટેમ્બરે એટલે કે આજે પોતાનો પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.  પોતાના જન્મદિવસના ખાસ અવસર પર અક્ષય કુમાર પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના પુત્ર આરવ, બહેન અલકા હિરાનંદાની અને ભત્રીજી સિમરે પણ મહાકાલના દર્શન કર્યા હતા. જેનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું
અક્ષય કુમારે સવારની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો.  આ સાથે તેમણે નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું, આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે આ દરમિયાન અક્ષય કુમાર સાથે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર શિખર ધવન પણ હાજર હતા.

અક્ષય કુમારે ભગવાન મહાકાલ વિશે ઘણી માહિતી લીધી
હવે ત્યાંથી અક્ષય કુમારના ઘણા ફોટા સામે આવ્યા છે, જેમાં અક્ષય નંદી હોલમાં બેસીને ધ્યાન કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ધોતીમાં જોવા મળ્યો હતો. મંદિરના પૂજારીએ જણાવ્યું કે અક્ષય કુમારે ભગવાન મહાકાલ વિશે ઘણી માહિતી લીધી અને કહ્યું કે તેમના જન્મદિવસ પર ભગવાન મહાકાલના રૂબરૂ દર્શન કરવાથી મોટી ભેટ શું હોઈ શકે. 

જણાવી દઈએ કે અક્ષય તેની આગામી ફિલ્મ 'મિશન રાનીગંજ'ની સફળતા માટે પ્રાર્થના કરવા માટે મહાકાલ પહોંચ્યા હતા. અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ સ્વ. શ્રી જસવંત સિંહ ગિલના વાસ્તવિક જીવનની ઘટના અને પરાક્રમી કાર્યથી પ્રેરિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ