બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar Birthday: Akshay performed Mahakal's Bhasma Aarti, Shikhar Dhawan also received blessings.
Megha
Last Updated: 11:47 AM, 9 September 2023
Akshay Kumar Birthday : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર 9 સપ્ટેમ્બરે એટલે કે આજે પોતાનો પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાના જન્મદિવસના ખાસ અવસર પર અક્ષય કુમાર પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમના પુત્ર આરવ, બહેન અલકા હિરાનંદાની અને ભત્રીજી સિમરે પણ મહાકાલના દર્શન કર્યા હતા. જેનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું
અક્ષય કુમારે સવારની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. આ સાથે તેમણે નંદી હોલમાં બેસીને ભગવાન મહાકાલનું ધ્યાન કર્યું, આશીર્વાદ લીધા હતા. નોંધનીય છે કે આ દરમિયાન અક્ષય કુમાર સાથે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર શિખર ધવન પણ હાજર હતા.
અક્ષય કુમારે ભગવાન મહાકાલ વિશે ઘણી માહિતી લીધી
હવે ત્યાંથી અક્ષય કુમારના ઘણા ફોટા સામે આવ્યા છે, જેમાં અક્ષય નંદી હોલમાં બેસીને ધ્યાન કરતો જોવા મળે છે. આ દરમિયાન તે ધોતીમાં જોવા મળ્યો હતો. મંદિરના પૂજારીએ જણાવ્યું કે અક્ષય કુમારે ભગવાન મહાકાલ વિશે ઘણી માહિતી લીધી અને કહ્યું કે તેમના જન્મદિવસ પર ભગવાન મહાકાલના રૂબરૂ દર્શન કરવાથી મોટી ભેટ શું હોઈ શકે.
VIDEO | Bollywood actor @akshaykumar and cricketer @SDhawan25 visit Mahakaleshwar Temple in Madhya Pradesh's Ujjain. pic.twitter.com/gB0ijfyJHF
— Press Trust of India (@PTI_News) September 9, 2023
જણાવી દઈએ કે અક્ષય તેની આગામી ફિલ્મ 'મિશન રાનીગંજ'ની સફળતા માટે પ્રાર્થના કરવા માટે મહાકાલ પહોંચ્યા હતા. અક્ષય કુમારની આગામી ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ સ્વ. શ્રી જસવંત સિંહ ગિલના વાસ્તવિક જીવનની ઘટના અને પરાક્રમી કાર્યથી પ્રેરિત છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime