બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / airtel announces rs 6000 cashback offer for users who purchase smartphones from leading brands
Last Updated: 05:14 PM, 9 October 2021
ADVERTISEMENT
કેવીરીતે મળશે આ કેશબેક
ADVERTISEMENT
મારા પ્રથમ સ્માર્ટફોન પ્રોગ્રામ હેઠળ એરટેલે શુક્રવારે જાહેરાત કરી છે કે રૂપિયા 12,000 સુધીના ફોનની ખરીદી પર રૂ. 6000 સુધીનુ કેશબેક મેળવી શકો છો. રૂ. 6000નું કેશબેક મેળવવા માટે ગ્રાહકે સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવો પડશે. જેની કિંમત રૂપિયા 12,000 હોઇ શકે છે. ત્યારબાદ તેને દર મહિને એરટેલનો રૂ. 249 અથવા તેનાથી વધુનું પ્રિપેડ પેક લેવુ પડશે. આ એક વખત નહીં પરંતુ સતત 36 મહિના માટે લેવુ પડશે. જો ગ્રાહક 36 મહિના સુધી રૂ. 249 અથવા તેનાથી વધુ રિચાર્જ કરાવે છે તો તેને એરટેલ તરફથી બે ભાગમાં રૂપિયા 6000નું કેશબેક આપવામાં આવશે.
કેશબેકનો પ્રથમ હપ્તો ગ્રાહકોને 18 મહિના બાદ મળશે
કેશબેકનો પ્રથમ હપ્તો ગ્રાહકોને 18 મહિના બાદ મળશે. એટલેકે સતત 18 મહિના રિચાર્જ કરાવ્યાં બાદ ગ્રાહકને પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે, જે રૂપિયા 2000ની હશે. બાકી બચેલા રૂપિયા 4000 ગ્રાહકને ત્યારે મળશે જ્યારે તેના 36 મહિના પૂર્ણ થઇ જશે. એટલેકે જો સતત 36 મહિના સુધી તે રિચાર્જ કરાવે છે તો તેને અંતમાં રૂપિયા 6000નું કેશબેક મળશે. મહત્વનું છે કે, આ સ્કીમમાં લગભગ 150થી વધુ સ્માર્ટફોન સામેલ કરવામાં આવ્યાં છે.
કોઈ પણ ગ્રાહક જો ઈચ્છે તો રૂપિયા 6000 વાળો ફોન પણ લઇ શકે છે. 3 વર્ષનો સમય પૂર્ણ થયા બાદ તેને પોતાના હેન્ડસેટની આખી કિંમત કેશબેકમાં મળી જશે. એટલેકે તેને હેન્ડસેટ ફ્રીમાં મળી જશે. કંપની તરફથી આ કી 'મેરા પહલા સ્માર્ટફોન' પ્રોગ્રામ હેઠળ કાઢવામાં આવી છે.
કંપનીને શું ફાયદો
મહત્વનું છે કે, કંપની પોતાની સાથે વધુમાં વધુ ગ્રાહકોને જોડવા ઈચ્છે છે અને કંપનીની ઈચ્છા છે કે તે દરેક ગ્રાહકને પોતાની સાથે લાંબા સમય સુધી જોડી રાખે. જો કોઈ વ્યક્તિ સતત ત્રણ વર્ષ સુધી એક જ કંપનીની સેવાઓ લેતો રહેશે તો સ્વાભાવિક રીતે તેની ભાવનાઓ આ કંપની સાથે જોડાયેલી રહે છે અને કંપનીને ભવિષ્યમા તેનો ફાયદો થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.