બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 PM, 6 August 2026
ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરો માટે મોટું એલાન કર્યુ છે. સરકારની જાહેરાત અનુસાર, પૂર્વ અગ્નિવીર માટે ફોરેસ્ટ માં 20% અનામત રખાશે તેમજ તેમને શારીરિક કસોટીમાંથી મુક્તિ આપવામાં આવશે એટલું જ નહીં પરંતુ સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટ પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
પ્રથમ બેચ ઉમેદવારોને ૫ વર્ષની છૂટ
અગ્નિવીરોની પ્રથમ બેચ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની છૂટ મળશે.
ADVERTISEMENT
અનામત માટે શું શરત?
ઉમેદવાર મૂળ ગુજરાતના હોવા જોઈએ અને અગ્નિવીર તરીકે નિવૃત્ત થયેલા હોવા જોઈએ.
ADVERTISEMENT
પોલીસમાં 20 ટકા અનામતનું પણ એલાન
આ પહેલા 22 જુન 2026ના દિવસે ગુજરાત સરકારે પોલીસ દળના હથિયારી વિભાગ, સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP), જેલ વિભાગ તેમજ વન વિભાગની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ પગલાથી અગ્નિવીર તરીકે દેશસેવા પૂર્ણ કરનારા યુવાનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં જોડાવાની વધુ તક મળશે. આ ઉપરાંત પૂર્વ અગ્નિવીરોને ભરતી પ્રક્રિયામાં વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.