બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધને ચાંદ થઈ જશે લાલ! 28 ઓગસ્ટે ‘બ્લડ મૂન’નો નજારો, ભારતમાં દેખાશે કે નહીં? જાણો સત્ય

photo-story

8 ફોટો ગેલેરી

Raksha Bandhan 2026 / રક્ષાબંધને ચાંદ થઈ જશે લાલ! 28 ઓગસ્ટે ‘બ્લડ મૂન’નો નજારો, ભારતમાં દેખાશે કે નહીં? જાણો સત્ય

Last Updated: 10:13 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

28 ઓગસ્ટ 2026ના રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ અને બ્લડ મૂન લાગશે પરંતુ તે ભારતમાં દેખાશે નહીં અને સૂતક કાળ પણ માન્ય નહીં થાય. આથી રક્ષાબંધનના તહેવાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.

1/8

photoStories-logo

1. રક્ષાબંધન

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અટૂટ વિશ્વાસનું પર્વ રક્ષાબંધન આ વર્ષે અત્યંત વિશેષ અને અનોખા ખગોળીય સંયોગ સાથે આવી રહ્યું છે. આ વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના જ દિવસે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જેમાં આ દુર્લભ સંયોગને લઈને દેશભરના લોકો અને ભાઈ-બહેનોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ગ્રહણની છાયાની અસર આ પાવન તહેવાર પર પડશે કે નહીં. ચાલો આ વિશેની તમામ જરૂરી અને સચોટ માહિતી જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ક્યારે અને ક્યાં સુધી લાગશે ચંદ્રગ્રહણ?

પંચાંગ અને ખગોળીય ગણતરી અનુસાર વર્ષનું આ બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ 2026ના રોજ લાગશે. ભારતીય સમય મુજબ તે સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:31 વાગ્યા સુધી, એટલે કે લગભગ 5 કલાક 39 મિનિટ સુધી રહેશે. આ સમયે ઘણા દેશોમાં બ્લડ મૂનનું અદ્ભુત દૃશ્ય પણ જોવા મળશે, કારણ કે પૃથ્વીની છાયા ચંદ્રના મોટા ભાગને ઢાંકી લેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બ્લડ મૂન

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ કે તાંબા જેવો થઈ જાય છે, જેને ખગોળીય ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે. આની પાછળની મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે. આ સ્થિતિમાં સૂર્યની કિરણો સીધી ચંદ્ર સુધી પહોંચી શકતી નથી, પરંતુ તેમને પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. વૈજ્ઞાનિક કારણ

વાતાવરણમાંથી પસાર થતી વખતે સૂર્યના પ્રકાશનો વાદળી રંગ પ્રકીર્ણિત થઈને વિખેરાઈ જાય છે, જ્યારે લાલ રંગની તરંગલંબાઈ સૌથી ઓછી વિખેરાય છે અને તે વાતાવરણમાંથી ગાળાઈને ચંદ્રની સપાટી પર પડે છે. એજ કારણે ગ્રહણ દરમિયાન ચંદ્ર આપણને ચમકદાર સફેદને બદલે લાલ કે ઘેરા તાંબાના રંગનો દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. શું ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ?

સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ ખગોળીય ઘટના ભારતમાં દેખાશે કે નહીં? જાણકારો અનુસાર આ ચંદ્રગ્રહણ ભારતમાં નજરે નહીં આવે. તે મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, એશિયાના કેટલાક પશ્ચિમી ભાગો અને અમેરિકા મહાદ્વીપમાં દેખાશે. કેમ કે ભારતમાં આ સમયે દિવસનો ઉજાસ હશે, તેથી અહીં તેની દૃશ્યતા શૂન્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. શું ભારતમાં સૂતક કાળ માન્ય થશે?

ધાર્મિક નિયમો અનુસાર ચંદ્રગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલાં સૂતક કાળ અસરકારક થઈ જાય છે, જેમાં તમામ માંગલિક અને ધાર્મિક કાર્યો પર રોક લાગે છે. પરંતુ કારણ કે 28 ઓગસ્ટનું આ ચંદ્રગ્રહણ ભારતમાં દૃશ્યમાન નથી તેથી ભારતમાં તેનો સૂતક કાળ પણ માન્ય નહીં થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. શું રક્ષાબંધનના તહેવાર પર કોઈ અસર પડશે?

ભારતમાં ન તો આ ગ્રહણ દેખાશે અને ન તો તેનો સૂતક કાળ લાગશે તેથી રક્ષાબંધનના પર્વ પર તેની કોઈ પણ નકારાત્મક અસર નહીં પડે. બહેનો વગર કોઈ સંકોચ કે અસમંજસના આખા દિવસ હર્ષોત્સાહ સાથે પોતાના ભાઈઓની કાંડી પર રાખી બાંધી શકશે. પંચાંગ અનુસાર તહેવાર મનાવવા અને રાખી બાંધવા માટે આખો દિવસ શ્રેષ્ઠ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lunar eclipse moon Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ