બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, ચહેરા પર જોવા મળ્યું ઉંડુ દુઃખ
Last Updated: 10:58 AM, 13 June 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.. જ્યાં તેમણે ઘાયલોની સ્થિતિ જાણી હતી અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદી આ દુર્ઘટનાથી કેટલા દુખી થયા છે તે તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઇ રહ્યું હતું.. તેમના ચહેરા પર ભારે ઉદાસિનતા છલકાઇ રહી હતી.. ભારે હૈયે તેમણે મૃતકોના પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | PM Modi visits Civil Hospital in Ahmedabad and meets the lone survivor of the Air India plane crash and other people injured in the accident pic.twitter.com/0OYwh90dNh
— ANI (@ANI) June 13, 2025
આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 265 લોકોના મોત થયા છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 12 જૂનના રોજ બપોરે ક્રેશ થઈ ગઈ હતી. વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડીવાર પછી જ આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલોટ, 10 ક્રૂ સભ્યો અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માત બોઇંગ કંપનીના B-787 ડ્રીમલાઇનર વિમાનમાં થયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.