ગુજરાતમાં ધોરણ 6થી 8ની શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ધોરણ 6 થી 8 શાળા ખોલવા મુદ્દે શિક્ષણમંત્રીનુ નિવેદન
9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવાશેઃ શિક્ષણમંત્રી
ધોરણ 6 થી 8 શાળાનો નિર્ણય કોર કમિટીમાં લેવાશેઃ શિક્ષણમંત્રી
ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહીંવત રહ્યા છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો શાળા-કોલેજને ખોલવાની પણ રાજ્ય સરકાર દ્વારા ધીમે-ધીમે મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક શાળાઓ રાજ્યમાં ફરી ધબકતી થવાને લઈને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
9 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય
અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવાશે. તો આ સાથે જ એવું પણ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જો કે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 7 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.
1 ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા છે ટયુશન કલાસીસ અને ધોરણ 9થી 11ના વર્ગ
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે.
આ સાથે 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસ પણ શરુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.