ખેડુતોની સંગઠનો અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેના છઠ્ઠા તબક્કાની વાટાઘાટ આજે, બુધવારે શરૂ થઈ હતી, જેનો હેતુ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા અંગેના વિરોધને સમાપ્ત કરી શકાય એવો છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલ્વે, વાણિજ્ય અને ખાદ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ અહીં વિજ્ઞાન ભવનમાં 41 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન બપોરના ભોજનનો સમય થયો ત્યારે ખેડૂતો પોતાની સાથે લાવેલ લંગરનું ભોજન ખાવા બેઠા.
બંને નેતાઓ લંગરની લાઈનમાં જોડાઈ ગયા અને ખેડૂતો સાથે ભોજન લીધું
વિશેષ વાત એ છે કે જ્યારે વિજ્ઞાન ભવનમાં ખેડુતો લાઈવ લંગરનું ખાવાનું લઈ રહ્યા હતા, ત્યારે નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ પણ ત્યાં પહોંચ્યા હતા. બંને નેતાઓએ હાથમાં પ્લેટ લીધી અને તેઓ લંગરની લાઈનમાં જોડાઈ ગયા અને ખેડૂતો સાથે ભોજન લીધું. આ પછી બંને પક્ષો વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થઈ છે. આ પહેલા છેલ્લી બેઠક 5 ડિસેમ્બરે હતી.
Delhi: Union Ministers Piyush Goyal & Narendra Singh Tomar having food with farmers leaders during the lunch break at Vigyan Bhawan where the govt is holding talks with farmers on three farm laws. pic.twitter.com/dk31Bt1c6X
નોંધનીય છે કે આંદોલનકારી ખેડૂત તેમની માંગણીઓ પર મક્કમ છે કે ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવામાં આવે અને MSP પર કાનૂની ગેરંટી પૂરી પાડવાની પ્રક્રિયા સહિતના અન્ય મુદ્દાઓ સ્વીકારવામાં આવે. આશા છે કે સભામાંથી કંઈક અર્થપૂર્ણ નિષ્કર્ષ બહાર આવશે અને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવશે.
સપ્ટેમ્બરમાં લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગેની અવરોધોને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે 30 ડિસેમ્બરના રોજ યુનિયનને વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું હતું. યુનાઇટેડ કિસાન મોરચાએ મંગળવારે પોતાના પત્રમાં કહ્યું હતું કે એજન્ડામાં ત્રણ વિવાદિત કાયદાને રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની બાંયધરી આપવાના વિષયને આવરી લેવા જોઈએ.
અમિત શાહ સાથેની બેઠક રહી નિષ્ફળ
9મી ડિસેમ્બરે છઠ્ઠા રાઉન્ડની વાતચીત થવાની હતી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાક યુનિયન નેતાઓ વચ્ચે થયેલી વાતચીતનું કોઈ પરિણામ ન આવતા આ બેઠક રદ કરવામાં આવી હતી. શાહની મુલાકાત પછી સરકારે ખેડૂત સંગઠનોને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં નવા કાયદામાં સાત-આઠ સુધારા કરવામાં આવ્યા હતા અને MSP પર લેખિત ખાતરી આપવામાંની વાત કહેવાઈ હતી. સરકારે ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
નવા કાયદા MSP અને મંડી સિસ્ટમને 'નબળા' બનાવશે તેવો ડર
રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ સરહદો પર હજારો ખેડૂતો એક મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓમાંના મોટા ભાગના પંજાબ અને હરિયાણાના ખેડૂત છે. સરકારે કહ્યું છે કે આ કાયદા કૃષિ ક્ષેત્રમાં સુધારણા કરશે અને ખેડૂતોની આવક વધારશે, પરંતુ પ્રદર્શન કરનાર ખેડુત સંગઠનોને ડર છે કે નવા કાયદા MSP અને મંડી સિસ્ટમને 'નબળા' બનાવશે અને ખેડૂતોને મોટા ઉદ્યોગો પર આશ્રિત બનાવશે.