બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 05:50 PM, 17 January 2024
પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલ મિસાઈલ હુમલાઓએ બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ બનાવી દીધી છે. હવે પાકિસ્તાને મોટો નિર્ણય કરતાં ઈરાનથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને કહ્યું કે આ હુમલો કરીને ઈરાને તેની સંપ્રભુતાને ઠેસ પહોંચાડી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનનાં હુમલામાં દેશનાં 2 નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યાં છે અને ત્રણ બાળકીઓ ઘાયલ થઈ ગઈ છે. તો બીજી તરફ ઈરાનનો દાવો છે કે તેમણે આતંકી સંગઠન જૈશ-અલ-અદલનાં વિસ્તારો પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં તેમના રહેણાંક જ ધ્વંસ થયાં છે.
Pakistan Government bans Pakistan media from covering news on the Iran Airstrikes inside Pakistani territory. All journalists banned from visiting the areas which were attacked. pic.twitter.com/Jtvh5Rwjv0
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 17, 2024
પંજગુર કસ્બાની આસપાસ સ્ટ્રાઈક
ઈરાનની સરકારે મીડિયાને કહ્યું કે તેમણે બલૂચિસ્તાનનાં પંજગુર કસ્બાની આસપાસ સ્ટ્રાઈક કરી હતી. ઈરાની ન્યૂઝ એજન્સી તસનીમે પોતાની રિપોર્ટમાં કહ્યું કે- જૈશ અલ-અદલનાં 2 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે જેનું સંચાલન પાકિસ્તાનમાં થઈ રહ્યું હતું. અમે ડ્રોન અને મિસાઈલનાં આ હુમલા દ્વારા મોટું નુક્સાન પહોંચાડ્યું છે. જ્યારે પાકિસ્તાનની સ્થાનીક મીડિયા બોલી રહી છે કે બલૂચિસ્તાનની એક મસ્જિદ ટાર્ગેટ પર આવી હતી. તેને પણ હુમલામાં નુક્સાન પહોંચ્યું છે અને ઘણાં લોકો ઘાયલ થયાં છે.
🚨🚨🚨
— Khawaja Yaseen Usmani (@YasinUsmani_Ofl) January 17, 2024
This is the place in Balochistan where #Iran fired 2 missiles in a targeted attack and killed 2 innocent children, Pakistan will retaliate very soon. #ISPR pic.twitter.com/meMnERZ9jI
અટેકની થોડીવાર પહેલા જ કરી હતી મુલાકાત
રિપોર્ટ અનુસાર ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી થોડીવાર પહેલાં જ પાકનાં કાર્યવાહક PM અનવારુલ હક કરાર અને ઈરાનનાં વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયાન વર્લ્ડ ઈકોનોમિક ફોરમની નજીક સ્વિરઝરલેન્ડમાં મળ્યાં હતાં. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનાં આ તણાવમાં ચીન કૂદી પડ્યું. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે 'અમે બંને પક્ષોને શાંતિની અપીલ કરીએ છીએ. દેશની શાંતિ અને સ્થિરતાને નુક્સાન પહોંચે તેવી કોઈ પણ કાર્યવાહી ન કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ મુલાકાત બાદ પાકિસ્તાન પર ઈરાન દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime