ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મગફળીનો પાક ઉપાડીને જાર-એરંડાનું વાવેતર કરવા લાગ્યાં, વરસાદ ખેંચાતા ખેડૂતોની માઠી દશા

હવામાન / મગફળીનો પાક ઉપાડીને જાર-એરંડાનું વાવેતર કરવા લાગ્યાં, વરસાદ ખેંચાતા ખેડૂતોની માઠી દશા

Published By: Hiralal Parmar
Reported By: Kalu Rathod

Last Updated: 05:15 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ મગફળીને બદલે જાર અને એરંડાનું વાવેતર કરવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

આ વખતે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે જેમાં રાજકોટ જિલ્લો અને ખાસ જસદણ અને વિછીયા તાલુકામાં ઓછા વરસાદ પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એક બાજુ મગફળીમાં પીળીયો રોગ લાગવાથી જસદણ વિંછીયા તાલુકાના 80 % જેટલા ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો છે.

મગફળીને બદલે જાર અને એરંડાનું વાવેતર

દર વખતે સિઝનનો 25 ich જેટલો વરસાદ પડતો હોય છે પણ આ વખતે સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોનો પાક પણ સુકાઈ રહ્યો છે જેમાં ખાસ મગફળીમાં પીળીયો રોગ આવતા જસદણ અને વિછીયા તાલુકાના ખેડૂતો પોતાની વાડી અને ખેતરમાંથી મગફળી ઉપાડી લીધી છે અમુક ખેડૂતો મગફળી ઉપાડી રહ્યા છે અને જાર તેમજ એરંડાનું વાવેતર કરી રહ્યા છે સારો વરસાદ હોય ત્યારે ખેડૂતો ચોમાસુ શિયાળો અને ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય છે પણ આ વખતે તો પ્રથમ ચોમાસાના પાકમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેનું કારણ છે ઓછો વરસાદ અને મગફળીમાં રોગચાળો. 10 વિઘા ની મગફળીના વાવેતર પાછળ લાખ દોઢ લાખનો ખર્ચો કરી ચૂકેલા ખેડૂતો રાતા પાણી એ રડી રહ્યા છે.

વધુ વાંચો : વારંવાર સંબંધ બાંધ્યો, ચોટીલા મંદિરે સેંથો પુરી પત્ની માની પણ લગ્ન ન કર્યાં, રાજકોટમાં યુવક ઝડપાયો

ખેડૂતોએ ઠાલવી વેદના

ખેડૂતો એકબીજા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને કઈ રહ્યા છે કે આના કરતા તો પાક વીમા યોજના સારી છે પાક વીમા યોજનામાં ખેડૂતોને નુકસાની તો મળતી પણ અત્યારે તો કશું જ મળતુ નથી સરકારે સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને બની શકે તો સહાય કરવી જોઈએ જસદણનો આલણ સાગર ડેમ જે 32 ફૂટે ઓવર ફલો થતો હોય છે પણ ડેમમાં માત્ર નવ ફૂટ જ પાણી છે આટલા પાણીએ તો જસદણ શહેરના લોકોને પીવાના પાણીમાં પણ મુશ્કેલી પડે 20 ફૂટ પાણી શહેરની જનતા માટે રાખવામાં આવતું હોય છે અને 12 ફૂટ પાણી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોય પણ આ વખતે તે પણ બની નહીં શકે એટલે ખેડૂતો ચોમાસુ પાક બગડો તેનાથી પરેશાન તો છે પણ આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ નહીં લઈ શકે કારણ કે વરસાદના અભાવે કુવામાં પાણી ચઢયા જ નથી નદીમાં પુર આવ્યા જ નથી તો પોતાની વાડીમાં પોતાના કુવા ભરેલા હોય તો પાણી થી પાક થાય પણ કુવા જ ખાલી હોય તો શું થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain 2026, Gujarat rain

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ