બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After a month and a half, three more accused were nabbed in the Morbi Tolanaka incident
Dinesh
Last Updated: 11:50 PM, 16 January 2024
સમગ્ર રાજ્યમાં ગાજેલા મોરબી ટોલનાકા કાંડની તપાસમાં ફરિયાદ નોંધાયા બાદ આખરે દોઢ મહિના બાદ વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજુ એક મુખ્ય આરોપી અમરશી પટેલ પોલીસ પકડથી દૂર છે.
પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
મહત્વનું છે કે, વાંકાનેર નજીક વઘાસિયા પાસે ટોલ પ્લાઝાને બાયપાસ કરીને બાજુમાં આવેલી વ્હાઈટ હાઉસ નામની બંધ પડેલી ફેક્ટરીમાંથી ગેરકાયદે રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હતો. આ મામલે ગત 4 ડિસેમ્બરે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં અગાઉ બે આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હવે વાંકાનેર પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આમ કુલ પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે વ્હાઈટ હાઉસ કારખાનાનો માલિક અમરશી પટેલ કે જે પાટીદાર આગેવાન જેરામ પટેલનો પુત્ર છે તે હજુ ફરાર છે.
કેવી રીતે કરતા હતા કર ચોરી
મોરબીનાં વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકાની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ટોલનાકું ધમધમી રહ્યું છે. ત્યારે આ નેશનલ હાઈવે પરથી રોજનાં હજારો વાહનો પસાર થાય છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ટોલ બનાવવા માટે બાજુનાં ગામમાંથી પસાર થાય છે. ત્યારે વાહન ચાલકોની આ કર ચોરી કરવાની ટેવનાં કારણે કેટલાક અસામાજી તત્વો દ્વારા કમાણી કરવાનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે ટોલનાકા નજીક બંધ કારખાનામાંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વાંચવા જેવું: મોરબી પગારકાંડ મામલે મોટા સમાચાર, રાણીબાને મળી રાહત, કોર્ટે આપ્યો આદેશ
વ્હાઈટ હાઉસ સિરામિકના કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો
મોરબીનાં વાંકાનેર વઘાસિયા ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકું બનાવાયું હતું. ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકનાં કારખાનામાંથી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવાયો હતો. આ રસ્તા પર રવિરાજસિંહ અને હરવિંરસિંહ નામનાં બે શખ્શો ટોલનાકુ ચલાવતા હતા. કારખાનેદારની પણ આ ગેરદાયકે ટોલનાકું બનાવવામાં સંડોવણીની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime