ઑસ્ટ્રિયન અધિકારીઓએ જાહેરાત કરી છે કે, પોલીસ હવે સરમુખત્યાર એડૉલ્ફ હિટલરના જન્મસ્થળનો ઉપયોગ તેમના કાર્ય માટે કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી તે નાઝી તાનાશાહનો મહિમા ગાનારા લોકો માટે તીર્થસ્થાન સમાન બની ગયું હતું. હિટલરનો જન્મ અહીં 1889માં થયો હતો. સરમુખત્યાર હિટલરે તેના જીવનના પ્રથમ ત્રણ વર્ષ આ ગેસ્ટ હાઉસમાં વીતાવ્યા હતા, જેને હવે પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.
પોલીસ હવે સરમુખત્યાર એડૉલ્ફ હિટલરના જન્મસ્થળનો ઉપયોગ તેમના કાર્ય માટે કરશે
સરમુખત્યાર હિટલરે તેના જીવનના પ્રથમ ત્રણ વર્ષ આ ગેસ્ટ હાઉસમાં વીતાવ્યા હતા
હિટલરના પિતા જ્યારે ઑસ્ટ્રિયામાં એક કસ્ટમ અધિકારી તરીકે તહેનાત હતા ત્યારે તેમને ત્યાં હિટલરનો જન્મ થયો હતો
ઑસ્ટ્રિયાના ગૃહ પ્રધાન વૉલ્ફગેંગ પેસચૉર્ને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પોલીસ દ્વારા આ ઘરનો ઉપયોગ કરવાથી એ વાતનો નક્કર સંકેત મળશે કે રાષ્ટ્રીય સમાજવાદની યાદોને આ ઈમારતમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, નાઝી સમર્થકોએ છેલ્લા થોડા સમયમાં આ સ્થળને તીર્થસ્થાન અથવા પવિત્ર સ્થળ તરીકે માન આપવાનું શરૂ કર્યું હતું.
એક યહૂદી જૂથે જર્મનીમાં સરમુખત્યાર હિટલર સાથે જોડાયેલી ચીજ-વસ્તુઓની હરાજીની આકરી ટીકા કરી હતી
એક યહૂદી જૂથે જર્મનીમાં સરમુખત્યાર હિટલર સાથે જોડાયેલી ચીજ-વસ્તુઓની હરાજીની આકરી ટીકા કરી હતી, જેમાં હિટલરની પ્રખ્યાત ટોપીનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન યહૂદી ફેડરેશનને આ હરાજીની ટીકા કરતા કહ્યું કે, લોહીથી લથપથ આ વસ્તુઓની મદદથી પૈસા કમાવવા અયોગ્ય છે. આ અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ્યારે હિટલરની ચીજ-વસ્તુઓની હરાજી કરવામાં આવી રહી હતી ત્યારે જર્મનીમાં તેનો ઉગ્ર વિરોધ પણ થયો હતો.
હિટલરના પિતા જ્યારે ઑસ્ટ્રિયામાં એક કસ્ટમ અધિકારી તરીકે તહેનાત હતા ત્યારે તેમને ત્યાં હિટલરનો જન્મ થયો હતો. હિટલરે આ સ્થળે તેની જિંદગીના ત્રણ વર્ષ વિતાવ્યા અને ત્યારબાદ તેનું કુટુંબ જર્મની રહેવા ચાલ્યું ગયું હતું. બાદમાં હિટલરે જર્મન તાનાશાહ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને નાઝી શાસનની સ્થાપના કરી હતી. જર્મનીમાં હિટલરના નાઝી પ્રતીકોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ છે.
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ જગ્યા એક આર્ટ ગેલેરી અને પુસ્તકાલય તરીકે વપરાતી હતી
ઉલ્લેખનીય છે કે, એડૉલ્ફ હિટલરનો જન્મ 20 એપ્રિલ, 1889ના દિવસે ઑસ્ટ્રિયા-હંગેરીના એક નાના શહેરમાં થયો હતો. હિટલરનો જન્મ જ્યાં પોલીસ સ્ટેશન બનવાનું છે તે બિલ્ડિંગના બીજા માળે થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ જગ્યા એક આર્ટ ગેલેરી અને પુસ્તકાલય તરીકે વપરાતી હતી. બાદમાં, આ સાઇટનો ઉપયોગ બેંક, શાળા અને વિશેષ જરૂરિયાતવાળા લોકો માટેના કેન્દ્ર તરીકે પણ કરવામાં આવ્યો હતો. 2020માં આ બિલ્ડિંગના રિનોવેશન બાદ પોલીસ તેનો ઉપયોગ શરૂ કરશે.