બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની 8 સ્કૂલોને તાળા મારી દેવાયા, DEO આકરા પાણીએ, સામે આવ્યું ચોંકાવનારું લિસ્ટ
Last Updated: 02:13 PM, 3 September 2025
રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવી છે. વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવતા ડીઈઓ દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે. શાળામાં બાળકો ના હોવા છતાં માત્ર કાગળ પર શાળા ચાલતી હતી. માત્ર કાગળ પર ચાલતી શાળાઓ સામે ડીઈઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

દીક્ષિત પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ)
ADVERTISEMENT
8 જેટલી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા
કાગળ પર ચાલતી 8 જેટલી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. ગોંડલ, ધોરાજી અને જસદણ તાલુકાની શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીઈઓએ શાળા સંચાલકોને હિયરિંગ માટે રૂબરૂ બોલાવ્યા હતા. તમામ શાળા મંજૂરી રદ્દ કરવા શિક્ષણ વિભાગમાં ભલામણ કરાઈ છે. રાજકોટ શહેરની શાળાઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT

કઈ કઈ શાળા થશે બંધ
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'દારૂ પીતા કે જુગાર રમતા પકડાયા તો થશે 11000નો દંડ', પાટણના જાણીતા ગામમાં લેવાયો નિર્ણય
ADVERTISEMENT
માત્ર RTE હેઠળ વિદ્યાર્થીઓ જ કરતા હતા અભ્યાસ
શાળાઓ બંધ કરવા મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું હતું કે, રાજકોટ જિલ્લાની વિદ્યાર્થી વિહોણી શાળાઓ બંધ કરવામાં આવી હતી. ગોંડલ, ધોરાજી, જસદણ અને શિવરાજ પર સહિતની શાળાઓની માન્યતા રદ્દ કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ સબમિટ કરાવ્યો છે. શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જ થતી ન હતી. માત્ર RTE હેઠળ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને બંધ કરવામાં આવી અને કેટલાક છાત્રોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.