બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રિમાં ઘટસ્થાપન કયા નિયમ મુજબ કરવું?, આ 8 વસ્તુઓ કળશમાં અવશ્ય નાખજો

Navaratri 2025 / નવરાત્રિમાં ઘટસ્થાપન કયા નિયમ મુજબ કરવું?, આ 8 વસ્તુઓ કળશમાં અવશ્ય નાખજો

Nirav Kumar

Last Updated: 03:48 PM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મ અનુસાર, નવરાત્રિ દરમિયાન ઘરમાં કળશ સ્થાપના કરવામાં આવે છે. આ કળશ સ્થાપના વખતે કળશમાં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ અને આ સ્થાપના કઈ દિશામાં કરવી જોઈએ તે આપણે જાણીશું.

નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025થી થવા જઈ રહી છે. આ તહેવારમાં કળશની સ્થાપના પણ કરવામાં આવે છે અને મંદિર પણ શણગારવામાં આવે છે. આ દરમિયાન કળશને કઈ દિશામાં સ્થાપવાને શુભ મનાય છે? સાથે કળશમાં કઈ વસ્તુ રાખવી જોઈએ? તે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું. તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન ઘરમાં માતા દેવીના મંદિરને શણગારવા માટે કઈ દિશા યોગ્ય માનવામાં આવે છે?

  • સ્થાન અને દિશા

હિન્દુ ધર્મ અનુસાર, નવરાત્રિમાં પૂજા કરતી વખતે તેનું સ્થાન અને દિશા ધ્યાનમાં લેવી ખૂબ જોઈએ. જો તમે માતાના મંદિરને શણગારવાની તૈયારી કરી રહ્યા હોવ તો તેના માટે ઉત્તરપૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. એવી માન્યતા છે કે આ દિશામાં માતાના મંદિરને શણગારવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે.

આ સિવાય દુર્ગા માતાના મંદિરની સ્થાપના માટે પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા દરમિયાન ભક્તે પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખવું જોઈએ. એવી માન્યતા છે કે પૂર્વ તરફ મુખ કરીને પ્રાર્થના કરવાથી આપણી ચેતના જાગૃત થાય છે અને ઘરમાં શાંતિ અને સુખનો વાસ થાય છે.

  • કઈ વસ્તુઓને કળશમાં રાખવી
    જો આ નવરાત્રિ દરમિયાન સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે તો ભક્તોનો બેડો પાર થઈ જાય છે. આ સમય દરમિયાન કરવામાં આવતી કળશ સ્થાપનાનું આગવું મહત્વ છે. એના માટે પહેલા માટીના કળશ આસપાસ નાડાસડીનો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે. ત્યાર બાદ કળશમાં ગંગાજળ, સોપારી, હળદર પાવડર, એક સિક્કો, લવિંગ, એલચી અને કેટલાક ફૂલો મૂકવા જોઈએ.

કળશ આ રીતે કરો સ્થાપિત

પાંચ કેરીના પાન પર કંકુ અને હળદર લગાવો અને તેને કળશની આસપાસ રાખો. તેના પર એક નાળિયેર મૂકો. નાળિયેરને ચુદંડીથી લપેટીને રાખો. સ્થાપનના સ્થળે થોડા ચોખા રાખો અને દેવીની મૂર્તિની પાસે આ કળશ રાખો.

વધુ વાંચો: લીલાલેર! આ રાશિના જાતકોના ભાગ્ય ઉઘડ્યા, ત્રિકોણ યોગ શરૂ થતાં રાજાશાહી જેવું જીવશો જીવન

  • આ વસ્તુઓ કરો અર્પણ

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા માટે શણગારનો સામાન મુકવો જોઈએ. પૂજા સ્થાન પર લાલ ચુદંડી અને કંકુ પણ રાખવુ જોઈએ. નવરાત્રિ દરમિયાન દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. અમુક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Durga Mata Kalash Sthapna Navaratri 2025
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ