બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / સ્પોર્ટસ / Cricket / AB de Villiers apologizes to Virat Kohli's family, requests fans to respect the privacy
Megha
Last Updated: 11:06 AM, 11 February 2024
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડીવિલિયર્સની ભારતમાં મજબૂત ફોલોઈંગ છે અને આ બનવામાં આઈપીએલે મોટી ભૂમિકા ભજવી છે. એબી વર્ષોથી આ લીગ રમ્યો હતો અને તેના ઘણા સમય માટે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક ભાગ હતો. આરસીબીના દિગ્ગજ વિરાટ કોહલી સાથેની તેની મિત્રતાની પણ ખૂબ ચર્ચા છે.
Ab De Villiers said - "My friend Virat Kohli is still not available. I cry out to all to give him privacy that he deserves. Family comes first. No one knows what exactly is going on. I am asking all to respect that. I did bit of a blunder & I apologise to Virat family for that". pic.twitter.com/lapw6uT3MA
— CricketMAN2 (@ImTanujSingh) February 10, 2024
એબી ડી વિલિયર્સ હાલમાં જ દાવો કર્યો હતો કે અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીને કારણે કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ રમી શક્યો ન હતો.જોકે બાદમાં તેણે આ નિવેદન પાછું ખેંચી લીધું હતું. અને આ પછી તેણે ફરી એકવાર આ મુદ્દા પર વાત કરી છે અને કોહલી પરિવારની માફી માંગી છે.
જાણીતું છે કે કોહલી બાકીની ત્રણ ટેસ્ટ માટે પણ ભારતીય ટીમનો ભાગ નથી. ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઈએ આ વિશે કહ્યું, 'વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની સીરિઝ માટે ઉપલબ્ધ નથી. બોર્ડ કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.' એવામાં બાકીની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ ડી વિલિયર્સે માફી માંગી હતી.
AB de Villiers said#ABDevilliers #ViratKohli𓃵 #icc #teamindia pic.twitter.com/RFEtfmLyvX
— Cricket Addictor (@AddictorCricket) February 11, 2024
એમને કહ્યું કે, 'મારો મિત્ર વિરાટ કોહલી હજુ પણ આગમી મેચો માટે ઉપલબ્ધ નથી. હું દરેકને અપીલ કરું છું કે દરેક લોકો એમની પ્રાઈવસીની કદર કરે, ફેમિલી પહેલા આવે છે. શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી. હું દરેકને આનું સન્માન કરવા કહું છું. મેં મારા છેલ્લા શોમાં ભૂલ કરી હતી અને તેના માટે હું કોહલી પરિવારની માફી માંગુ છું. તે યોગ્ય ન હતું. મેં એવી માહિતી શેર કરી છે જેની બિલકુલ પુષ્ટિ થઈ નહતી. હું દરેકને કોહલી અને તેના પરિવારના પ્રાઇવેટ સમયનું સન્માન કરવા વિનંતી કરું છું. આશા છે કે આપણે વિરાટને ખુશ અને રન બનાવતા જોઈશું. જેમ તે હંમેશા કરે છે.'
જણાવી દઈએ કે કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જે બાદ ઘણી વાતો ચાલી રહી હતી. આ વચ્ચે વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે કોહલીની પત્ની અનુષ્કા પ્રેગ્નન્ટ છે અને વિરાટ પરિવાર સાથે થોડો સમય વિતાવી રહ્યો છે. જો કે હવે આ નિવેદનને પાછું ખેંચવાની સાથે એમને કોહલીની માફી પણ માંગી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime