બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Priyakant
Last Updated: 01:34 PM, 11 May 2023
અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગ્યાની ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગની તપાસ કરાશે. આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. આ તરફ અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગ મામલે વિકાસ એસ્ટેટના સદસ્યોએ પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોએ કહ્યું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું નહિ.
અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી. વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી તેમજ બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના અપાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસ રહેઠાણોને ખાલી કરવા પણ સુચના અપાઈ હતી. ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. મહત્વનું છે કે, 4 કંપની અને 25 જેટલી દુકાનોમાં આગ લાગી હતી. જેને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે પહોંચી મહામહેનતે આગ બુઝાવી હતી.
આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને કરશે તપાસ
અમદાવાદના બાપુનગરમાં ફટાકડા ગોડાઉનમાં લાગેલી આગ મામલે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આગની ઘટનાના 15 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી. આ તરફ હવે આગની ઘટનામાં પોલીસ FSLની મદદ લઈને તપાસ કરશે. જેમાં FSLની તપાસમાં આગ ક્યાં અને કયા કારણસર લાગી તેનો ખુલાસો થશે. આ સાથે બેદરકારી હશે તેની સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
વિકાસ એસ્ટેટના સદસ્યોએ લગાવ્યા ગંભીર આક્ષેપ
અમદાવાદના બાપુનગરમાં લાગેલી આગનો મામલે હવે મોટા આક્ષેપો થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, વિકાસ એસ્ટેટના સદસ્યોએ લગાવ્યા પોલીસ અને મનપા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. વિકાસ એસ્ટેટના સદસ્યોનું કહેવું છે કે, વારંવાર રજુઆત બાદ પણ મનપા કે પોલીસે ન સાંભળ્યું. આ સાથે કહ્યું કે, આગની શકયતા લઈને એસ્ટેટ દ્વારા વારંવાર રજુઆત કરાઇ હતી. તંત્ર આંખ આડા કાન કરતાં આજે મોટી હોનારત બની છે.
વિકાસ એસ્ટેટના લોકોના કહેવા પ્રમાણે દિવાળીમાં મનપા અને પોલીસ ફટાકડા લેવા પહોંચી જતી હતી. આ એસ્ટેટ વિભાગમાં 120 એકમો આવેલા છે. જેમાંથી ફક્ત 15 એકમો પાસે ફટાકડાના ગોડાઉનના લાયસન્સ છે. આ સાથે કેટલાક ગોડાઉનમાં ક્ષમતા કરતા વધુ ફટાકડા ભર્યા હતા. વારંવાર એસ્ટેટ દ્વારા રજુઆત કરી છતાં એકમો કોઈ પણ બાબતો ધ્યાને લેતા નહોતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime