બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A police constable in Ahmedabad and two people suffered heart failure in Surendranagar
Vishal Khamar
Last Updated: 10:49 AM, 8 April 2024
છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હ્રદય રોગનાં કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હ્રદયરોગનાં હુમલાઓમાં બાળકો સહિત યુવાનોનાં પણ મોત નિપજી રહ્યા છે. ત્યારે ગત રોજ અમદાવાદ શહેરનાં ખોખરા પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ અને રાઈટર ફરજ બજાવતા અરવિંદ સોલંકી(ઉ.વર્ષ. 33) ને હાર્ટ એટેક આવતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ખોખરા પોલિસ સ્ટેશનમાં ચાલુ ફરજે આવ્યો હતો હાર્ટ એટેક
ખોખરા પોલીસ મથકમાં ફરજ બજાવતો અરવિંદ સોલંકીને એકાએક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ હાજર તબીબ દ્વારા તેઓને તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. મિલનસાર સ્વભાવ ધરાવતા ખોખરા પોલીસ સ્ટેશનનાં કર્મચારીનાં મોતનાં સમાચાર પોલીસ કર્મચારીઓને જાણ થતા સૌ કોઈ શોકાતુર થઈ ગયા હતા.
46 વર્ષની મહિલા અને 76 વર્ષના પુરુષનું મૃત્યું
સુરેન્દ્રનગરનાં લીંબડી શહેરી વિસ્તારમાં 24 કલાકમાં બે હાર્ટ એટેકનાં બનાવમાં એક મહિલા તેમજ એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો. જેમાં લીંબડી શહેરી વિસ્તારમાં છાયાબેન પરમાર (ઉ.વર્ષ. 46) જ્યારે પ્રેમાનેદ પાટડિયા (ઉ.વર્ષ.76) નું મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
હાર્ટ એટેક કયા કારણોસર આવે છે?
કોરોનરી આર્ટરી, હ્રદયને પર્યાપ્ત માજ્ઞામાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થઈ જાય છે.
જડબામાં દુખાવો- જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે.
પરસેવો વળવો- ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.
વધુ વાંચોઃ ત્રાહિમામ પોકારી જશો! ગુજરાતમાં આ તારીખે વરસાદ સાથે બફારાની આગાહી, માથું ફાટી જાય તેવી પડશે ગરમી
પેટમાં દુખાવો- પેટમાં દુખાવો થવો તે એક સામાન્ય બાબત છે. જે હ્રદયની બિમારીઓ થવાનો સંકેત આપે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime