બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Dinesh
Last Updated: 11:27 AM, 19 January 2024
Vadodara Harani lake boat incident: વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના બની તેને દ્રશ્ય માધ્યમમાં જોતા અને અનુભવતા હૃદયમાં કંપારી છુટી જાય છે. ગુજરાતમાં આવી દુર્ઘટના પહેલી નથી, એક યા બીજી બેદરકારીને કારણે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યાની ઘટના પણ પહેલી નથી પણ અત્યંત દુખ છે, આજે વડોદરા સહિત ગુજરાત સમગ્ર ગુજરાત આ દૂર્ઘટનાથી વિચલિત છે. વિદ્યાર્થીઓનો આંકડો માત્ર એ વ્હાલસોયાના મા-બાપને જ નહીં પણ આખા રાજ્યને રડાવવા માટે પૂરતો છે. વડોદરાના હરણી લેક દૂર્ઘટનામાં ઋત્વિ શાહ નામની બાળકીનું મૃત્યુ થયું છે. મૃતક ઋત્વિ શાહના પરિવારજનો મૃતદેહ લેવા પોસ્ટમોર્ટમ રૂમ પહોંચ્યા હતાં. જે દરમિયાન પરિવારજનોએ શાળા અને બોટ સંચાલકો પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા છે.
'ઉપરવાળો બધું જોઇ રહ્યો છે, તે ન્યાય કરશે'
મૃતક ઋત્વિ શાહ નામની બાળકીના પરિવારજનોએ કહ્યું કે, અગાઉ બનેલી ઘટનામાં શું થયું હતું તે તમામને ખ્યાલ છે. અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. ઋત્વિ ઘરેથી હસતી ખેલતી નીકળી હતી અને આ ઘટના બની છે. પરિવારે અશ્રુ ભીની આંખે કહ્યું કે, ઉપરવાળો બધું જોઇ રહ્યો છે, તે ન્યાય કરશે
'આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે'
મૃતકના મામાએ કહ્યું કે, આ મોટી બેદરકારી છે જેના કારણે અમારે અહીં આવવાનો વારો આવ્યો છે. કોઈ જગ્યાએ કંઈ પમ સેફ્ટીનો ધ્યાન રાખવામાં આવ્યું નથી. મન ફાવે તેમ પ્રવાસો કર્યા અને છોકરાઓને લઈ ગયા. DEOની પણ મંજૂરી લેવામાં આવી નથી. આમાં સ્કૂલ સંચાલક અને બોટ સંચાલક બંન્નેની બેદરકારી છે. જો લાઈફ જેકેટ પહેરાવ્યું હોત તો આજે એક પણ છોકરો મરણ પથારીએ ન હોત. વધુમાં ઉમેર્યું કે, આવી ઘણી તપાસો ચાલી રહી છે તે દુનિયા જાણે છે. આ બાબતે પણ શુ તપાસ થશે તે પણ ભગવાનના હાથમાં જ છે.
વાંચવા જેવું: 'આજે બાળકો મા વિનાના થઇ ગયા', વડોદરા બોટ ટ્રેજેડીને લઇ મૃતક શિક્ષિકાના સ્વજને VTV સમક્ષ કાઢી હૈયાવરાળ
સળગતા સવાલ
કમાવવાની લાલચમાં ક્યાં સુધી લોકોના જીવ જતા રહેશે ?
બોટની કેપેસિટી 17 લોકોની હતી તો 30 લોકો કેમ ભરવામાં આવ્યા ?
કમાવવાની લ્હાયમાં 17 માસૂમોના મોતના જવાબદારોને સજા ક્યારે ?
ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને બોટ ઓપરેટ કરવાની મંજૂરી કોણે આપી ?
શાળા દ્વારા પણ બાળકોની સુરક્ષા વિશે કેમ ન વિચારવામાં આવ્યું ?
રાઈડ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ કેમ ન પહેરાવાયા ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ