દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈમાં કોઈ ઘટના થાય તો તેના સમાચાર ખૂબ તેજીથી દેશભરમાં ફેલાઈ જતાં હોય છે, આજે મુંબઈમાં એક ઈમારત ધરાશાયી થતાં ચિંતા વ્યાપી ગઈ હતી પરંતુ હવે રાહતની વાત કહી શકાય કે કોઈ જાનહાનિના સમાચાર નથી
મુંબઈમાં ફરી મોટી દુર્ઘટના
ચાર માળની ઈમારત ધરાશાયી
કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મુંબઈના બોરિવલીના સાઈબાબા નગરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક ઈમારત ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને સૂચના બાદ ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પહેલા એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે કાટમાળની અંદર 14થી 15 લોકો દબાયા હોવાની માહિતી છે, જોકે તપાસ બાદ અંદર કોઈ જ જાનહાનિના સમાચાર નથી. નોંધનીય છે કે ઈમારત 40 વર્ષ જૂની હતી.
Maharashtra | A four-storey building collapsed in Saibaba Nagar of Borivali West in Mumbai. Details awaited: Fire Brigade
અધિકારીઓએ સમગ્ર ઘટના મામલે કહ્યું કે ઈમારત ખૂબ જ ગંભીર હાલતમાં હોવાથી પહેલા જ તેને ખાલી કરાવી લેવામાં આવી હતી જોકે તેમ છતાં કાટમાળમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે અંદર કોઈ દબાયું છે કે નહીં.