— D/o Pension & Pensioners' Welfare , GoI (@DOPPW_India) September 8, 2021
રિટાયર કર્મચારીઓ માટે મોટા સમાચાર
રિટાયર થઈ ગયેલા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટા ગુડ ન્યૂઝ આપ્યા છે. નાણામંત્રાલયે કેશ પેમેન્ટ અને ગ્રેચ્યુઈટી જાહેર કરી છે, જાન્યુઆરી 2020થી જૂન 2021 માટે કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી બહાર પાડવામાં આવી છે જેમા મોંઘવારી ભથ્થાંની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટ્વિટ કરીને આપેલ જાણકારી અનુસાર એવા કર્મચારીઓ જેઓ જાન્યુઆરી 2020થી જૂન 2021ની વચ્ચે રિટાયર થયા છે તેમના માટે ગ્રેચ્યુઈટી અને લિવ ઇનકેશમેન્ટને લઈને મેમોરેન્ડમ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે ટ્વિટ કરીને આપી જાણકારી
સરકારે જાણકારી આપતા કહ્યું આ કાર્યકાળમાં મોંઘવારી ભથ્થું બેઝિક સેલેરીનાં 17 ટકા રહેશે. નોંધનીય છે કે આમાં પહેલી જાન્યુઆરી 2020નાં રોજ મોંઘવારીમાં ભથ્થાંમાં વધારવામાં આવેલ ચાર ટકા, પહેલી જુલાઇ 2020નાં રોજનાં વધારવામાં આવેલ 3 ટકાને જોડીને મોંઘવારી ભથ્થું 28 ટકા કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા જ્ઞાપન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 30 જૂન, 2021 સુધી નિવૃત્ત થયેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પહેલેથી જ નિવૃત્ત કર્મચારીઓ માટે રજાના બદલામાં ગ્રેચ્યુઇટી અને કેશ પેમેન્ટ વન ટાઈમ રિટાયરમેન્ટ લાભ આપવામાં આવશે.