જેમાં મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા ભાયંદર અને પુણેમાં 1-1 અને પિંપરી ચિંચવાડમાં નાઈજીરિયાથી પરત આવેલા 2 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગે મંગળવારે આ માહિતી આપી.
સેમ્પલ મોકલાયા ટૅસ્ટિંગ માટે
વિભાગે કહ્યું કે આ તમામ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે અને તેમના કોન્ટેક્ટ્સને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ તમામ મુસાફરો કે જેઓ સંક્રમિત જોવા મળ્યા છે, તેમાં સંક્રમણના લક્ષણો હળવા છે અથવા તો બિલકુલ નથી.
કેન્દ્રએ રાજ્યોને આપ્યા છે આદેશ
કેન્દ્રએ મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસના નવા સ્વરૂપ, કોમિક્રોન અંગે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની તપાસ અને અસરકારક દેખરેખ ઝડપી બનાવવા સલાહ આપી છે. કેન્દ્રએ એમ પણ કહ્યું કે એવું નથી કે SARS-CoV-2 નું ઓમિક્રોન સ્વરૂપ RT-PCR અને RAT પરીક્ષણો દ્વારા શોધી શકાતું નથી. કેન્દ્રએ એમ પણ કહ્યું કે દેશમાં ઓમિક્રોન સ્વરૂપનો એકપણ કેસ સામે આવ્યો નથી.
There are 6 pax who arrived from South Africa or other high-risk countries & tested positive for COVID - one each in Mumbai Corporation,Kalyan-Dombivali Corporation, Meera-Bhayandar Corporation & Pune, 2 from Nigeria in Pimpri-Chinchwad corporation: Public Health Dept Maharashtra pic.twitter.com/vrtYMMc9P6
હેલ્થ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટ RTPCR અને એન્ટિજન ટેસ્ટને પણ ચકમો આપી શકે છે. લોકોને આઇસોલેશન રાખવા માટે અત્યારથી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. 6 સૂત્રીય માસ્ટર પ્લાન હેઠળ કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા, સર્વિલાન્સ, ટેસ્ટિંગ, હોટસ્પોટ પર નજર રાખવી અને વેક્સિનેશન વધારવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રીનું મોટું નિવેદન
કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મોટું નિવેદન આપ્યું છે. સંસદનાં શિયાળુ સત્રમાં સ્વાસ્થ્યમંત્રીએ એલાન કર્યું છે કે હાલમાં દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે ઓમિક્રૉનને લઈને નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયનાં આદેશ જાહેર: લાગુ ગાઈડલાઇનને જ લંબાવવામાં આવી
ભારતમા કોરોના વાયરસને લઈને ફરીવાર ચિંતા વધી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ચિંતા વધી રહી છે. દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.