સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે, 5 જિલ્લા પંચાયતની સાથે જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મનપાની એક બેઠકની ચૂંટણી યોજાશે. ત્યારે 1 જુલાઇએ જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 જુલાઇ રહેશે. 21 જુલાઇએ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી થશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે, 5 જિલ્લા પંચાયતની સાથે જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મનપાની એક બેઠકની ચૂંટણી યોજાશે. ત્યારે 1 જુલાઇએ જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 જુલાઇ રહેશે. 21 જુલાઇએ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી થશે.
મહાનગરપાલિકાની ચૂંટણીની સાથે 5 જિલ્લા પંચાયતોની યોજાશે ચૂંટણી
જુનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી અને ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ત્રણની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાદી દેવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણીની સાથે-સાથે 5 જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે. જે અંગેનુ જાહેરનામું આગામી 1 જુલાઈએ બહાર પાડવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે, આગામી 21 જુલાઈએ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે. જે માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જ્યારે આ ચૂંટણીનું પરિણામ 23 જુલાઈના જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણીને લઇને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જ્યારે આ ચૂંટણીમાં નોટાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. જૂનાગઢ સામાન્ય ચૂંટણી 15 વોર્ડમાં યોજાશે. 60 બેઠકો પર ચૂંટણી યોજાશે.