બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / 158 prisoners to be released from Sabarmati central jail on Mahatma Gandhi jayanti
ADVERTISEMENT
બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના પ્રસંગે મધ્યસ્થ જેલના કેદીઓની માફીને કબુલ કરવામાં આવશે. જેમાં અમદાવાદમાં આવેલી સાબરમતી મધ્યસ્થ જેલમાંથી 158 કેદીઓને માફી આપવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પણ બે તબક્કામાં 229 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે 2 ઓક્ટોબરે વધુ કેદીઓને જેલમુક્ત કરતા કુલ 387 કેદીઓની સજા માફ કરવામાં આવી છે.
PM મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
ADVERTISEMENT
રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મદિવસે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે પણ સારા સમાચાર છે. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતીને 150મી ઉજવણીના ભાગ રૂપે કેદીઓને વિશેષ માફી આપવા માટે મંજૂરી આપી દીધી છે. જેના ભાગ રૂપે કેદીઓને 2જી ઓક્ટોબરના રોજ માફી મળશે.
કેવી રીતે માફીની મેળવાઈ મંજૂરી
ADVERTISEMENT
ગૃહ મંત્રાલય તમામ યોગ્ય કેદીઓના મામલાની ઓળખ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચનો જાહેર કરી હતી. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટને આ કેસોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાંઆવી હતી. રાજ્ય સરકારો આ સમિતિની ભલામણોને રાજ્યપાલની પાસે બંધારણની કલમ 161 હેઠળ વિચાર-વિમર્શ અને મંજૂરી માટે મોકલાઈ હતી. મંજૂરી મેળવ્યા બાદ કેદીઓને 2 ઓક્ટોબર,2018, 10 એપ્રિલ, 2019 અને 2 ઓક્ટોબર, 2019ના રોજ મુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણ તબક્કામાં મંજૂર થઈ હતી માફી
ADVERTISEMENT
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે કેદીઓને વિશેષ માફી સ્વીકૃત કરવામાં આવી છે. તેમને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. પાછલા બે તબક્કામાંથી 1424 આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે આ વખતે 600 જેટલા કેદીઓને માફી આપવામાં આવશે.
ADVERTISEMENT
આ પ્રસંગે કેદીઓને મુક્ત કરવા માટની શરતો શું છે?
ADVERTISEMENT
કેવા કેદીને ન મળે માફી
મૃત્યુદંડની સજા ભોગવી રહ્યા છે અથવા જેમની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખવામાં આવી છે.
દહેજ મૃત્યુ, બળાત્કાર, માનવ તસ્કરી અને પોટા, યુએપીએ, ટાડા, એફઆઈસીએન, પોસ્કો એક્ટ, નાણાની ગેરકાયદે હેરફેર, ફેમા, એનડીપીએસ, ભ્રષ્ટાચાર અટકાયત કાયદો વગેરે અંતર્ગત રહેલા આરોપીઓને પણ માફી નથી આપવામાં આવતી.
આલેખનઃ ગાયત્રી જોષી, અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.