- આજે અનંત ચતુર્દશી
- આ ખાસ મૂહૂર્તમાં કરો ગણેશજીને વિદાય
- આ સરળ રીતે કરી શકશો ગણેશજીની પૂજા અને વિસર્જન
જાણીતા જ્યોતિષાચાર્યના અનુસાર આઝે એટલે કે રવિવારે ગણેશ પ્રતિમાના વિસર્જન કરવા માટેના 3 ખાસ મૂહૂર્ત છે.
- સવારે - 9થી 12 વાગ્યા સુધી
- બપોરે - 1.30થી 3 વાગ્યા સુધી
- સાંજે - 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી

ધ્યાન રાખો કે તમે ગણેશજીને સૂર્યાસ્ત પહેલા વિસર્જિત કરી શકો. જો સૂર્યાસ્ત સુધી પ્રતિમા વિસર્જિત ન થઈ શકે તો બીજા દિવસે તેને વિસર્જિત કરી લેવી. વિસર્જન પહેલા ગણેશજીનું વિધિવત પૂજન કરવું જરૂરી છે.
પૂજન માટે આ વસ્તુઓ રહેશે જરૂરી
- તાંબાનો લોટો
- ગંગાજળ
- પંચામૃત
- મૌલી
- વસ્ત્ર
- ચંદન
- ચોખા
- જનોઈ
- અબીલ
- ગુલાલ
- કંકુ
- અષ્ટગંધા
- હળદર
- મહેંદી
- અત્તર
- હાર- ફૂલ
- દુર્વા
- ઘીનો દીવો
- ધૂપ બત્તી
- સિઝનલ ફ્રૂટ
- ગોળ
- મોદક, લાડુ કે કોઈ મિઠાઈ
- ડ્રાયફ્રૂટ્સ
- પાન
- લવિંગ - એલચી
આ રીતે સરળ રીતે કરો ગણેશજીની પૂજા

- અનંત ચતુર્દશીના દિવસે સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજીની સામે પૂજા કરવાનો સંકલ્પ કરો.
- સંકલ્પ બાદ ભગવાન ગણેશને ગંગાજળ ચઢાવો. જનોઈ પહેરાવો અને વસ્ત્ર, લાલ દોરો અર્પણ કરો.
- અબીલ, ગુલાલ અને કંકુની સાથે ચંદન, સિંદુર, અત્તર, ફળ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.
- ગણેશ મંત્ર શ્રી ગણેશાય નમઃ બોલવાની સાથે દુર્વાની 21 ગાંઠને ભગવાનને ચઢાવો. મોદક, લાડુ અને અન્ય મિઠાઈનો ભોગ લગાવો.
- કપૂર સળગાવો. દીવો અને અગરબત્તી કરીને ભગવાનની આરતી કરો.
- ભગવાની પૂજામાં ગણેશ ઉત્સવમાં અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો અને પૂજા બાદ પ્રસાદને વહેંચી દો.
- આ રીતે ગણેશ પૂજા બાદ સાફ પાણી ભરો.
- જળમાં દરેક તીર્થના અને પવિત્ર નદીના આહ્વાહન કરો. તેમાં ફૂલ, ચોખા, કંકુ ઉમેરો. આ પછી ગણેશજીનો મંત્ર બોલવાની સાથે ગણેશજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરો.
- પાણીમાં માટીની પ્રતિમા ઓગળી જાય તો તે માટી ઘરના કુંડામાં મિક્સ કરી લો, તેમાં કોઈ પણ છોડ લગાવી શકો છો.
- અનંત ચતુર્દશીએ જરૂરિયાત વાળા લોકોને ધન અને ભોજનનું દાન કરો. આ પછી સ્વયં ભોજન ગ્રહણ કરો.