બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 131 કેસ, સગર્ભા મહિલાનું સારવાર બાદ મોત, મૃત્યુઆંક 646 પર પહોંચ્યો
Last Updated: 03:13 PM, 9 June 2025
અમદાવાદ શહેરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે.. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના નવા 131 કેસ નોંધાયા છે.. અને 1 દર્દીનું મોત થયું છે.. સાબરકાંઠાની સગર્ભા મહિલાનું કોરોનાથી મોત થયું.. મહિલાને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સાથે કોરોનાથી થતા મોતનો આંકડો 646 પર પહોંચ્યો છે.. અમદાવાદમાં કોરોનાનું સૌથી વધું સંક્રમણ પશ્ચિમ ઝોનમાં સામે આવ્યું છે.. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 204 કેસ નોંધાયા છે.. પશ્ચિમ ઝોનમાં 211 એક્ટિવ કેસ છે..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાદરાના આ જોડીયા ભાઇઓ છે એટલા સમાન કે આઇફોન પણ ખાઇ જાય છે થાપ, એકબીજાના ફેસઆઇડીથી અનલોક થઇ જાય છે ફોન
રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે.. ભારતમાં કોરોનાનું ઝડપથી વધી રહ્યું છે. અંદાજિત 15 દિવસમાં જ ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 30 ગણા વધી ગયા છે. 22 મેના રોજ કુલ એક્ટિવ કેસ 257 હતા, જે 8 જૂન સુધીમાં વધીને 6133 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોતની વાત કરીએ તો કેરળમાં ત્રણ કોરોનાના દર્દીના મોત થયા છે. જ્યારે કર્ણાટકમાં બે દર્દીના મોત થયા છે. આ સિવાય તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.