સુરતમાં એક વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે. બાળકીના માતાપિતા કોરોના સંક્રમિત થયા હતા. જેાના કારણે બાળકી પણ સંક્રમિત થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
સુરતમાં કોરોનાને કારણે બાળકીનું મોત
એક વર્ષની બાળકીને થયો હતો કોરોના
માતા પિતા સંક્રમિત થતા બાળકી સંક્રમિત થઈ હતી
કોરોનાના કેસ સતત રાજ્યમાં વધી રહ્યા છે. તેમા પણ ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. જોકે હવે તો બાળકો પણ સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે જે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. સુરતમાં એક વર્ષની બાળકીને કોરોના થયો હતો અને કોરોનાને કારણે બાળકીનું મોત થયું છે.
સારવાર દરમિયાન બાળકીનું મોત
ઘરમાં બાળકીના મોતને લઈને પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. બાળકીના માતા પિતાને કોરોના થયો હતો. જેના કારણે બાળકી પણ સંક્રમણની ઝપેટમાં આવી ગઈ હતી. બાળકી સંક્રમિત થતા તેને હોસ્પિટલમાં સારવારા અર્થે ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું.
સતત વધી રહ્યા છે ગુજરાતમાં કોરોનાના કેસ
રાજ્યમાં કોરોના કેસ કુદકેને ભૂસકે સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 કેસ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 8,332 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં1876 કેસ તો રાજકોટ શહેરમાં 1707 કેસ, વડોદરા શહેરમાં 2823 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 547 કેસ, ભાવનગર શહેરમાં 401 કેસ સામે આવતા જાણે કોરોના કેસોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે. તો કોરોનાને લીધે 15 લોકોના મોત થયા છે. જ્યારે 10103 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,29, 875 સંખ્યા સુધી પહોંચી ગઈ છે