તમારી પાસે મોબાઇલ તો હશે જ અને તમેં તેને ચાર્જ કરવા વિશે પણ બધું જ જાણતા હશો પણ શું તમે જાણો છો કે તમારા ફોનને તમે વર્ષોથી ખોટી રીતે ચાર્જ કરી રહ્યા છો અને તમને તેના વિશે પણ ખબર નથી.
મોબાઇલ ચાર્જિંગ વિશે બેટરી યુનિવર્સિટી નામની એક કંપનીએ જણાવ્યું છે જે સ્માર્ટફોન અને બેટરીની ચકાસણી કરે છે તો ચાલો આપણે જાણીએ કે મોબાઇલની બેટરી ચાર્જ કેવી રીતે થાય છે અને તેનો ચાર્જ ન કરાવી જોઈએ.
ફોન થોડો-થોડો ચાર્જ કરો :
આપણા બધાની ટેવ ફોનને સંપૂર્ણ ચાર્જ કરવાની હોય છે પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ફોનને સંપૂર્ણ ચાર્જ ક્યારેય ન કરવો તેને થોડી-થોડી વારે ચાર્જર કરવો જોઈએ.
મોબાઈલને ચાર્જરમાં લગાવીને ન રાખવો :
આપણે ઘણીવાર મોબાઈલને ચાર્જરમાં લગાવીને આરામથી કોઈ કામમાં લાગી જઇયે છીએ જે ખૂબ ખરાબ આદત છે. જો તમારે પણ આવી ટેવ હોય તો તેને બદલો.
65% થી 75% વચ્ચે જ રાખો મોબાઈલની બેટરી :
બેટરી યુનિવર્સિટીના જણાવ્યા મુજબ ફોનની બેટરી પાવર પર મેનેજમેન્ટ રાખો અને તેને ચાર્જિંગમાં હંમેશા લગાવીને ન રાખો પ્રયત્ન કરો કે ફોનની બેટરી સંપૂર્ણ પૂર્ણ ન થઇ જાય અને તેને 65% થી 75% વચ્ચે જ ચાર્જર કરો.
પૂર્ણ ચાર્જ પછી ચાર્જરને દૂર કરવાની જરૂર નથી :
બેટરીપૂર્ણ ચાર્જ ત્યારે આપણે સામાન્ય રીતે તેને ચાર્જ કરવાથી દૂર કરીએ છીએ જ્યારે હકીકત એ છે કે તમારે મોબાઈલને પ્લગથી દૂર કરવાની જરૂર નથી. બેટરીના સંપૂર્ણ ચાર્જ થયા પછી ચાર્જર પાવર લેવાનું કરવાનું બંધ કરે છે.