બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / દીકરો ના હોય તો શું દિકરી કરી શકે છે માતાપિતાનું શ્રાદ્ધ કર્મ? ગરુડ પુરાણના નિયમો જાણો
6 ફોટો ગેલેરી
Last Updated: 11:28 AM, 10 July 2026
1/6
Daughter’s Right to Shradh: કોઈ પરિવારમાં પુત્રને બદલે ફક્ત પુત્રી હોય ત્યારે લોકો જાણવા માટે ઇચ્છુક હોય છે કે શું દીકરીને તેમના માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો અધિકાર છે? ધાર્મિક ગ્રંથ ખાસ કરીને ગરુડ પુરાણમાં બાળકોના આ અધિકાર અંગે કેટલાક નિયમોનો ઉલ્લેખ કરાયો છે.
2/6
ગરુડ પુરાણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ પક્ષી વચ્ચેના સંવાદ પર આધારિત છે. તે 18 મહાપુરાણોમાંનું એક છે. આ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવી એ બાળકોનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ગરુડ પુરાણના આધારે શું પુત્રીને તેના માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો અધિકાર છે કે નથી.
3/6
ગરુડ પુરાણ અનુસાર માતાપિતા માટે શ્રાદ્ધ વિધિ કરવાનો પ્રાથમિક અધિકાર પુત્રનો છે. માન્યતા છે કે, પુત્ર શ્રાદ્ધકર્મ કરે તેનાથી પૂર્વજો મોક્ષ મેળવે છે. આ કારણોસર પરંપરાગત રીતે પુત્રીઓને શ્રાદ્ધ કર્મ માટે અધિકારીક માનવામાં નથી આવતી. જોકે વિવિધ પ્રદેશો અને પરંપરાઓમાં અલગ અલગ માન્યતાઓ છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે પરિસ્થિતિઓના આધારે પુત્રીઓ પણ તેમના માતાપિતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે.
4/6
પુત્ર અને પુત્રી બંને ના હોવા પર પરિવારના અન્ય સભ્યો આ જવાબદારી નીભાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેની પત્નીને શ્રાદ્ધ કર્મ કરવાનો અધિકાર છે. તેના સિવાય પુત્રવધૂ, પૌત્ર, અથવા પરિવારના યોગ્ય સદસ્ય પણ શ્રાદ્ધ વિધિ કરી શકે છે. જો આમાંથી કોઈ પણ સભ્ય પરિવારમાં ના હોય તો પુત્રીનો પુત્ર એટલે કે પૌત્ર તેના નાના-નાનીનું શ્રાદ્ધ કરી શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં પંડિતો દ્વારા શ્રાદ્ધકર્મ કરાવાય છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ