બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આ તારીખો નોંધી લેજો, ગુજરાતમાં વરસાદ પર અંબાલાલ પટેલની મારફાડ આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

અંબાલાલ આગાહી / આ તારીખો નોંધી લેજો, ગુજરાતમાં વરસાદ પર અંબાલાલ પટેલની મારફાડ આગાહી

Last Updated: 12:37 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ambalal Patel Rain Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી: 13 જુલાઈથી વરસાદનો બીજો રાઉન્ડ, ઓગસ્ટમાં પણ સારા વરસાદની શક્યતા

1/5

photoStories-logo

1. અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 13થી 16 જુલાઈ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હવામાનની સિસ્ટમનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચી શકે

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે 17થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળ તરફથી સર્જાતી હવામાનની સિસ્ટમનો પ્રભાવ ગુજરાત સુધી પહોંચી શકે છે, જેના કારણે રાજ્યમાં વરસાદની વધુ એક તક ઉભી થશે. ત્યારબાદ 24 જુલાઈની આસપાસ મુંબઈમાં સારો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે 27થી 30 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ વરસાદી

આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆત પણ વરસાદી રહેવાની શક્યતા છે. 1થી 8 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ પડી શકે છે અને સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સામાન્યથી સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ખેડૂતો માટે અંબાલાલ પટેલની સલાહ

ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે મહત્વની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ હાલ ચાલતા પુનર્વસુ નક્ષત્ર દરમિયાન પડતું પાણી કૃષિ માટે ખાસ અનુકૂળ માનવામાં આવતું નથી. જો આ સમયગાળા દરમિયાન લીલા ખેતરમાં કૃષિ સંબંધિત કામગીરી કરવામાં આવે તો કેટલાક પાકમાં પીળાશ આવવાની શક્યતા રહે છે. જોકે, 20 જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સમયગાળાનું પાણી ખેતી માટે વધુ લાભદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat Weather Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ