બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / બિઝનેસ / You can become a millionaire with tea-cigarette rupees, expert said save100 rupees and invest
Megha
Last Updated: 10:14 AM, 14 December 2023
દરેક લોકોનું સપનું હોય છે કે તે કરોડપતિ બની જાય પણ બધા લોકોનું આ સપનું પૂરું થઈ શકતું નથી. સામાન્ય રીતે લોકોને એ ખબર નથી હોતી કે કરોડપતિ બનવા માટે ક્યાં, કેવી રીતે અને કેટલું રોકાણ કરવું જોઈએ. જો કે રોકાણ કરવાનું નામ પડતાં જ લોકો કહે છે કે અમારી પાસે રોકાણ કરવા જેટલા પૈસા નથી, પણ આજકાલ રોકાણ કરવાના ઘણા વિકલ્પો આવી ગયા છે, જેમાં સામાન્ય રોકાણ કરીને પણ સારું વળતર મેળવી શકાય છે.
એટલે કે કોઈપણ વ્યક્તિ તેની દરરોજની ચા અને સીગરેટ પીવાની આદતને છોડી એ પૈસાનું રોકાણ કરી દે તો થોડા વર્ષોમાં કરોડપતિ બની શકે છે. ચાલો જાણીએ કેવી રીતે..
માની લો કે કોઈ વ્યક્તિ દિવસમાં ત્રણ સીગરેટ ફૂંકે છે અને આશરે તેના પર 60 રૂપિયા ખર્ચે છે. આ સિવાય ઓફિસ સમય દરમિયાન 3-4 કપ ચા પીવે છે અને તેના પર આશરે 40 રૂપિયાનો ખર્ચો કરે છે. એવામાં જો આ ચા-સિગરેટના દરરોજના ખર્ચને જોડી દઈએ તો એ વ્યક્તિ એક દિવસમાં લગભગ 100 રૂપિયા વાપરે છે એટલે કે મહિને 3000 રૂપિયા વાપરે છે. હવે કોઈ પણ વ્યક્તિ આટલા પૈસા બચાવી, તેનું રોકાણ કરીને કરોડપતિ બની શકે છે.
ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અનુસાર, જો રોજની ચા અને સિગારેટના પૈસાનું રોકાણ કરવામાં આવે તો લગભગ 30 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુનું ફંડ જનરેટ થશે. જો કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે નોકરી શરૂ કર્યા પછી દર મહિને 3000 રૂપિયાની SIP શરૂ કરે છે, તો 30 વર્ષમાં કુલ 10.80 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ લાંબા ગાળાનું વળતર 12 ટકા છે. જો આ વળતર પરથી જોવામાં આવે તો નિવૃત્તિ સુધીમાં આ રોકાણ વધીને રૂ. 1,05,89,741 થશે. આ સમયગાળા દરમિયાન, રૂ. 95,09,741 માત્ર વ્યાજ તરીકે પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime