બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Politics / yogi government has decided to remove religious structures on road and footpaths
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સાર્વજનિક સડકો પર, રાજમાર્ગ પર, ગલી કે ફૂટપાથનાં કિનારે બાંધવામાં આવેલા તમામ ધાર્મિક નિર્માણ હટાવવામાં આવશે. હાઇકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશાનુસાર 2011 કે ત્યાર પછી બનાવવામાં આવેલા આવા ધાર્મિક નિર્માણો હટાવવામાં આવશે.
અધિકારીઓને આપવામાં આવ્યા આદેશ
ADVERTISEMENT
- પ્રદેશના આઇજી, ડીઆઇજી, પોલીસ કમિશનર્સ, ડીએમ, એસપી તમામ અધિકારીઓને આ સંબંધે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામ લેવાનું રહેશે અન્યથા સંબંધિત અધિકારીને પણ દોષિત ઠેરવવામાં આવી શકે છે.

ADVERTISEMENT
પહેલા વાતચીતથી રસ્તો લાવવાનો પ્રયત્ન કરવામાં કરવામાં આવશે
આવા તમામ ધાર્મિક બાંધકામ હટાવતા પહેલા એકવાર સંબંધિત ધર્મના લોકો સાથે અધિકારીઓ દ્વારા વાતચીતનો માર્ગ અપનાવવામાં આવશે. વાતચીત કર્યા બાદ છ મહિનાની અંદર જે તે ધાર્મિક નિર્માણને સ્થાનાંતરીત કરવામાં આવશે. જો સહમતી ન સધાય તો પ્રશાસનને રિપોર્ટ મોકલી બાંધકામ હટાવવામાં આવશે.
... તો અધિકારીઓ રહેશે જવાબદાર
ADVERTISEMENT
10 જૂન 2016 કે ત્યાર પછી જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે એમણે સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ પ્રકારે કોઈ ધાર્મિક નિર્માણ ન બને. જો આ પ્રકારે અતિક્રમણ થશે તો જે તે અધિકારી વ્યક્તિગતરૂપે જવાબદાર રહેશે. આ એક પ્રકારે કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે તેથી તેણી અવમાનના અપરાધ માનવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.