બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:47 AM, 15 April 2026
America Iran War : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ સોદો થઈ શક્યો નથી. ઉલ્લેખનીય છે કે, હમણાં જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાયેલી વાટાઘાટો નિષ્ફળ રહેતા ફરી એકવાર બંને દેશો વચ્ચેના મતભેદો સ્પષ્ટ થયા છે. જોકે આ નિષ્ફળતા વચ્ચે પણ રાજદ્વારી પ્રયાસો ચાલુ રહેવાની આશા જીવંત છે.
ADVERTISEMENT
શું કહી રહ્યા છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ?
અમેરિકાના ઉપપ્રમુખ J.D. Vanceએ આ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના મતે અમેરિકા અને ઈરાન વચ્ચેનો ઊંડો અવિશ્વાસ એ સૌથી મોટો અવરોધ છે, જે શાંતિ કરાર સુધી પહોંચવામાં અડચણ ઉભી કરે છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે, આવા પ્રકારના તણાવપૂર્ણ સંબંધોને એક જ રાતમાં સુધારી શકાતા નથી અને સમય સાથે વિશ્વાસનું નિર્માણ કરવું જરૂરી છે.
ADVERTISEMENT

વાટાઘાટો દરમિયાન બંને દેશોએ પોત-પોતાની શરતો પર જોર આપ્યું હતું, જેના કારણે કોઈ સહમતિ બની શકી નહોતી. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમનો મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો હતો. અમેરિકા ઈરાન પર લાંબા ગાળાના યુરેનિયમ સંવર્ધન પર પ્રતિબંધ મૂકવા માગે છે, જ્યારે ઈરાન તેની અવધિ ઓછી રાખવા માટે આગ્રહ કરી રહ્યું છે. આ મુદ્દે કોઈ સમજૂતી ન થતાં વાટાઘાટો અધૂરી રહી ગઈ.
ADVERTISEMENT
આ સાથે જ હોર્મુઝ જળસંધિ અને પ્રાદેશિક પ્રભાવ જેવા મુદ્દાઓ પર પણ મતભેદો સામે આવ્યા છે. બંને દેશો પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની છૂટ આપવા તૈયાર દેખાતા નથી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે સૂચન આપ્યું છે કે, ટૂંક સમયમાં ફરી વાટાઘાટો શરૂ થઈ શકે છે અને પાકિસ્તાન ફરીથી આ રાજદ્વારી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે, ભલે હાલ સ્થિતિ જટિલ હોય, પરંતુ શાંતિ માટેના પ્રયાસો અટક્યા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.